સોરઠિયા દુહા/73

Revision as of 06:19, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


73

સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે;
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!

હે નાથિયા! સુખમાં તો સંસારનાં સહુ માનવી તારા હેતુ-મિત્ર થવા આવશે. પણ જે દિવસે તારે માથે આપદા ને દુઃખ આવશે તે દિવસે કોઈ તારી સામું પણ નહિ જુએ.