સોરઠી સંતવાણી/સાચાં બાણ વાગે ત્યારે

From Ekatra Wiki
Revision as of 09:55, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાચાં બાણ વાગે ત્યારે

છૂટાં રે તીર હવે નો મારીએ, બાઈજી!
મેંથી સહ્યું નવ જાય,
કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી,
છાતી મારી ફાટફાટ થાય —
ભાઈ રે! બાણ રે વાગ્યાં રુવાડાં વીંધાણાં, બાઈજી!
મુખથી નવ કહેવાય;
આપો ને વસ્તુ મુંને લાભ જ લેવા
પરિપૂરણ કરોને ક્રિયાય. — છૂટાં.
ભાઈ રે! હજી બાણ તમને નથી લાગ્યાં, પાનબાઈ!
બાણ રે લાગ્યાને છે વાર;
બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં
પછી તો દેહદશા મટી જાય. — છૂટાં.
ભાઈ રે! બાણ વાગ્યા હોય તો બોલાય નૈ, પાનબાઈ!
પરિપૂરણ વચનમાં વરતાય.
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તેજ પૂરણ અધિકારી કે’વાય. — છૂટાં.

[ગંગાસતી]