અંતિમ કાવ્યો/મેં કેટકેટલાં મૃત્યુ જોયાં !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મેં કેટકેટલાં મૃત્યુ જોયાં !

મેં કેટકેટલા નાના, મોટા ને સમવયસ્ક મિત્રો ને સ્વજનો ખોયા !
મારું જીવન ધન્ય હોય તો એ સૌનો પ્રેમ એનું કારણ,
પ્રેમ એ તો આ મર્ત્યલોકમાં મૃત્યુનું એકમાત્ર વારણ;
હવે નહિ કહું મેં એ સૌ ખોયા, એ સૌ મારી સ્મૃતિમાં સદાયના સોહ્યા.
થોડાક નાના મિત્રો રહ્યા, એમનો પ્રેમ મળતો રહેશે.
મારાં બકીનાં સૌ વર્ષમાં એ તો સતત ફળતો રહેશે;
જાણું ના કેમ કાળભગવાન મારા ભાગ્ય પર આટલું મોહ્યા.

૧૮ મે, ૨૦૧૬