અમૃતલાલ વેગડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વેગડ અમૃતલાલ ગોવાલ (૩-૧૦-૧૯૨૮) : જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૨માં ડિપ્લોમા ઇન આર્ટ. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૩થી જબલપુરમાં શાસકીય કલા નિકેતનમાં ચિત્રકળાના શિક્ષક. ‘બાપુ સૂરજના દોસ્ત' (૧૯૭૮), ‘બાપુને દશ અંજલ’ (૧૯૭૦) વગેરે એમનાં પુસ્તકો છે.