અરવિંદ જયંતીલાલ ઓધારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓધારિયા અરવિંદ જયંતીલાલ, ‘રાહી ઓધારિયા’ (૨૧-૩-૧૯૪૬): કવિ. જન્મ ભાવનગરમાં. એમ.એ., બી.એડ્. આલ્ફ્રેડ હાઈસ્કૂલ. ભાવનગરમાં શિક્ષક. ‘આભ વસ્યું આંખોમાં’ (૧૯૭૮) અને ‘તમે કહો તે’ (૧૯૮૨) એમના કાવ્યસંગ્રહો છે.