અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવીનું હૈયું

ઉમાશંકર જોશી

માનવીના હૈયાને નંદવામાં વાર શી?
         અધબોલ્યા બોલડે,
         થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?

         સ્મિતની જ્યાં વીજળી,
         જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?

માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?

મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭


આસ્વાદ: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ