અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

નંદકુમાર પાઠક

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
         રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
         નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી’તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.

         ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
         રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.

         રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
         લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.

(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)