અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત')

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અર્પણ ('રાઈનો પર્વત')

રમણભાઈ નીલકંઠ

જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારી તે મધુમક્ષિકા એ મધુતણી પ્હેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?