અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/— કે કાગળ હરિ લખે તો બને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


— કે કાગળ હરિ લખે તો બને

રમેશ પારેખ

— કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઊકલતા મને…
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં ક્હે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિસદિન આવે જાય લઈને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
(છ અક્ષરનું નામ, પૃ. ૪૨૧)