અલ્પવિરામ/તંત્રીને પ્રત્યુત્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તંત્રીને પ્રત્યુત્તર

‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’
નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ
તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ?
છતાંય કહું  : કાળનો વિજય કાળથી થાય છે.