આંગણું અને પરસાળ/પ્રારંભિક
(લઘુ નિબંધો)
રમણ સોની
પ્રત્યક્ષ પ્રકાશન, વડોદરા
Anganun Ane Parasaal (આંગણું અને પરસાળ)
Short Essays by Raman Soni
૨૦૨૧
કૉપીરાઈટ : રમણ સોની
પહેલી આવૃત્તિ ૨૦૨૧
પાનાં ૯૬; પ્રત ૩૦૦
કિંમત રૂ. ૯૫
પ્રકાશક
પ્રત્યક્ષ પ્રકાશન
શારદા સોની ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા, જૂનો પાદરા રોડ,
વડોદરા ૩૯૦ ૦૦૭. ફોન ૯૨૨ ૮૨૧ ૫૨૭૫
પ્રાપ્તિસ્થાનો :
ગ્રંથવિહાર
ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ પાછળ,
નદીકિનારે, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯.
ફોન ૯૮૯૮૭ ૬૨૨૬૩(હંસાબહેન)
પ્રેમ પુસ્તક ભંડાર
૭૪/૧ જાદવજી નગર, કૉલેજ રોડ, ભુજ(કચ્છ) ૩૭૦ ૦૦૧
ફોન ૯૮૭૯૬૩૦૩૮૭ (ધર્મેન્દ્રભાઈ)
આવરણ-ચિત્ર : હરિકૃષ્ણ પાઠક
આવરણ-સજ્જા : આકાશ સોની
મુદ્રણ-અંકન : વિભા સોની
મુદ્રક : મધુ પૅકેજિંગ
કારેલીબાગ, વડોદરા ૩૯૦ ૦૧૮. ફોન : (૦૨૬૫) ૨૪૬ ૧૨૪૪
સદ્ગત મિત્રો,
જયન્ત મેઘાણી
અને
હારૂન ખીમાણીને–
હજુ તો આપણે ઘણા પ્રવાસો અને ઘણી ગોષ્ઠીઓ કરવાનાં હતાં...
લેખકનું નિવેદન
લઘુનિબંધ રૂપ આ વાર્તાલાપો સૌ પ્રથમ ઑલ ઇન્ડિયા રેડિયો(આકાશવાણી)ના ઉપક્રમે અપાયેલા. પછી એમાંથી કેટલાક ‘અખંડઆનંદ’, ‘વિ’, ‘પ્રબુદ્ધ જીવન’ એ સામયિકોમાં મુદ્રિત થયેલા. વાચિક વાર્તાલાપોની જેમ આ મુદ્રિત લેખાંકો વિશે પણ વાચકોના ઉમળકાવાળા પ્રતિભાવો મળેલા.
આકાશવાણીના ‘અમૃતધારા’ કાર્યક્રમમાં રજૂ થયેલા ત્યારે પણ આ વાર્તાલાપોનું રૂપ કોઈ ઉપદેશ-ચિંતનનું ન જ રાખેલું, શ્રોતાઓ સાથેના પ્રત્યક્ષ સંવાદ-તંતુરૂપે એ વ્યક્ત થયેલા. એથી, દરેક નિબંધમાં વિચાર-સંવેદનનું પ્રાસાદિક ને કંઈક લહેરાતું રૂપ આલેખાતું રહેલું; પૂરું લલિત નહીં પણ વિચારલીલા જેવું. આપેલા બધા વાર્તાલાપ-લેખો સચવાયેલા નહીં; હતા એમાંથી પણ કેટલાક રદ કર્યા, બાકીના પણ સંમાર્જિત તો કરી જ લીધા. છેવટે, અંતિમ પસંદગીના બાવીસ-પચીસ લેખો થયા. આ ઉપરાંત, એકત્રના ઇ-સામયિક ‘સંચયન’માં લખેલાં સંપાદકીય લખાણોમાંથી જે કેટલાંક ભાષા-આસ્વાદ અંગેનાં હતાં એ પણ, ગંભીર મુદ્દાકેન્દ્રી હોવા છતાં હળવાશભર્યાં સંવાદ-સંભાષા રૂપે લખાયેલાં ટૂંકાં ને પ્રાસાદિક હતાં એથી આ રેડિયો-વાર્તાલાપો સાથે એના સૂર મળે એમ હતા. એવાં બાર-તેર સંપાદકીય ‘કથનો’ તારવ્યાં અને ખંડ-બે તરીકે એમને સમાવ્યાં. વાચન-વિચારનાં પ્રાથમિક વિસ્મય અને જિજ્ઞાસા ધરાવનાર વર્ગ – વ્યાપક રુચિવાળો એક રસિક વાચકવર્ગ આ લખાણોનું મુખ્ય લક્ષ્યવર્તુળ છે; એમાં વિચાર-સંવેદન-પ્રેરકતા જેટલી જ વાચનરસ-પ્રેરકતા છે. અલબત્ત, પ્રબુદ્ધ વાચકોને પણ એ રસપ્રદ લાગેલાં છે.
આ એવું પુસ્તક છે કે વાચક એનું કોઈ પણ પાનું ખોલીને સામે આવતા લેખને વાંચી શકશે – યથેચ્છ અને મુક્ત રીતે..
આકાશવાણીનો, એકત્રનો તથા સામયિકોના સંપાદકોનો આભારી છું. કવિમિત્ર હરિકૃષ્ણ પાઠકે આવરણ માટે સુંદર રેખાંકન-ચિત્ર કરી આપ્યું છે એ માટે સાભાર આનંદ વ્યક્ત કરું છું.
-રમણ સોની
વડોદરા; વસંતપંચમી, સં.૨૦૭૬; તા. ૧૬, ફેબ્રુઆરી ૨૦૨૧
ramansoni૪૬@gmail.com. ph. ૯૨૨ ૮૨૧ ૫૨૭૫