આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Affective fallacy
Jump to navigation
Jump to search
Affective fallacy
Affective fallacy પ્રતિભાવદોષ
- ડબલ્યૂ. કે. વિમસેટે અને બીર્ડ્ઝલીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેદાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે, અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષ(જુઓ, Intentional fallacy)ના સામા છેડાનો છે.