ઈશ્વરચરણદાસજી

ઈશ્વરચરણદાસજી: ચરિત્રલેખક. સ્વામીનારાયણ સંત-પરંપરામાં થઈ ગયેલા સંત ગુણાતીતાનંદ સ્વામીના ભક્તજીવનને આલેખતા ચરિત્રપ્રધાન ગ્રંથો ‘શ્રી ગુણાતીતાનંદ સ્વામી’ (૧૯૬૨) તેમ જ ‘અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી' (૧૯૭૯) એમણે આપ્યા છે. ‘વચનામૃત’ (૧૯૨૫) તેમ જ ‘અબજી બાપાશ્રીની વાત ૧-૨’ એમના સંપાદિત ગ્રંથો છે.