એકોત્તરશતી/૯૯. રૂપનારાનેર ફૂલે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપ-નારાણને કિનારે (રૂપનારાનેર કૂલે)


રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાતમાં એકેએક વેદનામાં પોતાની જાતને ઓળખી; સત્ય તો કઠણ છે, કઠિનને મેં પ્યાર કર્યો. તે ક્યારેય છેતરપિંડી કરતું નથી. સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની, મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની, મરણ પર્યન્તની દુ:ખની તપસ્યા આ જીવન. ૧૩ મે, ૧૯૪૧ ‘શેષ લેખા’

(અનુ. ઉમાશંકર જોશી)