કાન્તિભાઈ મણિલાલ કડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કડિયા કાન્તિભાઈ મણિલાલ, ‘કાનન' (૨૦-૫-૧૯૫૦): કવિ. જન્મ માણસામાં. એમ.એ., બી.એડ્. સાબરમતી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગોષ્ઠિ’ના તંત્રી. ‘કલરવ' (૧૯૮૩) બાળસાહિત્યનું પુસ્તક એમની પાસેથી મળ્યું છે. ‘મઘમઘાટ' (૧૯૮૧) એમનું સંપાદન છે.