કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૬. ભીનાશ
Jump to navigation
Jump to search
સરોવરના
નિષ્કંપ જળને તળિયે
વેરાયેલા તારલાને
વીણવા
મેં
પાળ પર બેસીને
હાથ ડુબાડ્યો.
જળનું પોત
જરીક કંપ્યું
તારલા વીખરાયા
ને હાથ માત્ર ભીનો થયો.
(દ્વિદેશિની, પૃ. ૧૪૭)