કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

ગુજરાતના ગાલિબ તરીકે ખ્યાત એવા મરીઝ બે ચોપડી સુધી ભણેલા પણ ઘેર રહીને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરેલો. ઉર્દૂ ભાષા અને લિપિ પ્રત્યે પ્રેમાદર. અમીન આઝાદ એમના મિત્ર અને ગુરુ. એમના જીવનમાં એક પ્રકારની દીવાનગી હતી, ફકીરી હતી. એ દીવાનગી, ફકીરી એમની ગઝલોમાં ધૂપની જેમ પ્રગટી છે. ગમે તેવા દુઃખમાં કે પરિસ્થિતિમાં તેઓ ફકીરની જેમ હસતા રહી શકતા. દુનિયાદારીના અનુભવ, દીવાનગી અને ફકીરી એ જ એમની અમીરી છે. કેટલીક અમર ગઝલો આપનાર મરીઝના કાવ્યોનું ઇ-પ્રકાશન કરતાં એકત્ર ફાઉન્ડેશન આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આ ઇ-પ્રકાશન સહુ સહૃદય ભાવકોને ગમશે એવી આશા છે.

–સંપાદકો