કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૭.કવિનું મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૭.કવિનું મૃત્યુ

લાભશંકર ઠાકર

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને
ફફડતા હોઠ સુધી આવેલો
સૂકા કચડાતા પાંદડા જેવો
શબ્દોનો અસ્પષ્ટ લય
જરાક ઢોળાયો...
અને....
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)