કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫.વરસાદ પછી

લાભશંકર ઠાકર

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.

યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)