કિન્નરી ૧૯૫૦/કોણ રે ચાલી જાય?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કોણ રે ચાલી જાય?

એવું કોણ રે ચાલી જાય?
ભર્યું ભર્યું મારું ભીતર ખાલી થાય!
સંધ્યાની સ્મિતસુરખી છાઈ,
નભ ન રહ્યું નીલું;
એ જ રે રંગીન તેજ ગાઈ
રહ્યું વિલયનો લય પીલુ;
અવ હું એકલ અંધાર અંતર ઝીલું!
મુજને મારો જ સંગ, તે સાલી જાય!
હળવું મારું હૈયું થાતાં
પોપચે એનો ભાર;
મનનું મારું માનવી જાતાં
સૂનાં સકલ દ્વાર;
ન્યાળીને મુજ અશ્રુની જલધાર,
નભનું તારકવૃન્દ રે મ્હાલી જાય!
એવું કોણ રે ચાલી જાય?

૧૯૪૭