કિન્નરી ૧૯૫૦/તવ નામ
Jump to navigation
Jump to search
નિરંતર અંતરમાં તવ નામ,
જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!
એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,
એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;
અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!
દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,
પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;
એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!
૧૯૪૭