કેદારનાથ
<!DOCTYPE html> <html lang="gu"> <head>
<meta charset="UTF-8">
<meta name="viewport" content="width=device-width, initial-scale=1.0">
<title>કેદારનાથ - જીવનનાં કેટલાંક સંસ્મરણો</title>
<style>
/* ==================== RESET AND BASE STYLES ==================== */
* {
margin: 0;
padding: 0;
box-sizing: border-box;
}
/* ==================== PRINT SETTINGS ==================== */
@page {
size: A4;
margin: 2cm;
}
/* ==================== BODY AND PAGE LAYOUT ==================== */
body {
font-family: 'Bhavnagar Unicode', 'Noto Sans Gujarati', serif;
line-height: 1.6;
background: #f5f5f5;
padding: 20px;
}
.container {
max-width: 210mm; /* A4 width */
margin: 0 auto;
background: white;
padding: 2cm;
box-shadow: 0 2px 10px rgba(0,0,0,0.1);
}
/* ==================== TYPOGRAPHY ==================== */
h1, .chapter-title {
font-size: 24px;
font-weight: bold;
line-height: 1.4;
margin: 20px 0;
color: #333;
}
h2, .section-title, .headline {
font-size: 20px;
font-weight: bold;
line-height: 1.4;
margin: 18px 0;
color: #333;
}
h3, .sub-section-title, .sub-headline {
font-size: 18px;
font-weight: bold;
line-height: 1.4;
margin: 16px 0;
color: #333;
}
h4, .subsub-section-title, .subsub-headline {
font-size: 16px;
font-weight: bold;
line-height: 1.4;
margin: 14px 0;
color: #333;
}
p, .paragraph {
font-size: 16px;
line-height: 1.6;
margin: 12px 0;
}
blockquote, .quote {
font-size: 16px;
margin: 16px 0;
padding: 0 20px;
font-style: italic;
border-left: 3px solid #ccc;
}
/* ==================== LISTS ==================== */
ol, ul {
font-size: 16px;
margin: 12px 0;
padding-left: 20px;
}
li {
margin: 4px 0;
}
/* ==================== PAGE BREAKS AND PAGINATION ==================== */
.page-break {
margin: 3em 0 2em 0;
padding-top: 2em;
border-top: 1px solid #ddd;
page-break-before: always;
}
.page-break:first-child {
border-top: none;
margin-top: 0;
padding-top: 0;
}
.page-number {
text-align: right;
color: #666;
font-size: 0.9em;
margin: 1em 0;
font-style: italic;
}
/* ==================== UTILITY CLASSES FOR TEXT ALIGNMENT ==================== */
.text-center {
text-align: center;
}
.text-right {
text-align: right;
}
.text-justify {
text-align: justify;
}
.text-left {
text-align: left;
}
/* ==================== UTILITY CLASSES FOR SPACING ==================== */
.mt-0 { margin-top: 0; }
.mt-5 { margin-top: 5px; }
.mt-10 { margin-top: 10px; }
.mt-20 { margin-top: 20px; }
.mt-40 { margin-top: 40px; }
.mt-60 { margin-top: 60px; }
.mb-0 { margin-bottom: 0; }
.mb-5 { margin-bottom: 5px; }
.mb-10 { margin-bottom: 10px; }
.mb-20 { margin-bottom: 20px; }
.mb-40 { margin-bottom: 40px; }
.m-0 { margin: 0; }
.p-0 { padding: 0; }
/* ==================== LAYOUT UTILITIES ==================== */
.flex {
display: flex;
}
.flex-column {
flex-direction: column;
}
.justify-between {
justify-content: space-between;
}
.justify-center {
justify-content: center;
}
.align-center {
align-items: center;
}
.grid-half {
display: grid;
grid-template-columns: 1fr 1fr;
}
.height-full {
height: 100%;
}
/* ==================== COVER PAGE SPECIFIC STYLES ==================== */
.cover-page {
min-height: 297mm; /* A4 height */
}
.cover-right {
background-color: #8B4513;
color: white;
padding: 20px;
}
.cover-title {
font-size: 32px;
margin-bottom: 10px;
}
.cover-subtitle {
font-size: 18px;
font-weight: normal;
}
.year-badge {
display: inline-block;
border: 1px solid white;
border-radius: 50%;
padding: 5px;
}
/* ==================== TITLE PAGE SPECIFIC STYLES ==================== */
.title-page {
display: flex;
flex-direction: column;
align-items: center;
text-align: center;
margin-top: 60px;
}
.title-main {
font-size: 28px;
margin-bottom: 10px;
}
.title-subtitle {
margin-top: 5px;
margin-bottom: 40px;
}
.title-author {
margin-top: 40px;
margin-bottom: 40px;
}
.title-credit {
margin-top: 60px;
margin-bottom: 20px;
}
.credit-label {
margin-bottom: 5px;
}
.credit-name {
font-weight: bold;
margin-top: 5px;
}
/* ==================== FOOTER STYLES ==================== */
footer {
text-align: center;
margin-top: 20px;
}
/* ==================== HEADER STYLES ==================== */
header {
text-align: right;
margin-bottom: 20px;
}
/* ==================== FONT SIZE UTILITIES ==================== */
.fs-16 { font-size: 16px; }
.fs-18 { font-size: 18px; }
.fs-20 { font-size: 20px; }
.fs-24 { font-size: 24px; }
.fs-28 { font-size: 28px; }
.fs-32 { font-size: 32px; }
/* ==================== FONT WEIGHT UTILITIES ==================== */
.fw-normal { font-weight: normal; }
.fw-bold { font-weight: bold; }
/* ==================== DISPLAY UTILITIES ==================== */
.inline-block {
display: inline-block;
}
.block {
display: block;
}
/* ==================== BORDER UTILITIES ==================== */
.border-white {
border: 1px solid white;
}
.border-radius-circle {
border-radius: 50%;
}
/* ==================== PADDING UTILITIES ==================== */
.p-5 { padding: 5px; }
.p-10 { padding: 10px; }
.p-20 { padding: 20px; }
/* ==================== PRINT MEDIA QUERIES ==================== */
@media print {
body {
background: white;
padding: 0;
}
.container {
box-shadow: none;
max-width: 100%;
}
.page-break {
page-break-before: always;
border-top: none;
padding-top: 0;
margin-top: 0;
}
.page-number {
display: none;
}
}
/* ==================== SCREEN MEDIA QUERIES ==================== */
@media screen and (max-width: 768px) {
.container {
padding: 1cm;
}
.grid-half {
grid-template-columns: 1fr;
}
h1, .chapter-title {
font-size: 20px;
}
h2, .section-title {
font-size: 18px;
}
.cover-title {
font-size: 24px;
}
}
</style>
</head> <body>
કેદારનાથ
જીવનનાં કેટલાંક સંસ્મરણો
૧૯૪૯
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ-૩૮૦૦૧૪
કેદારનાથ
(જીવનનાં કેટલાંક સંસ્મરણો)
કેદારનાથ(નાથજી)
મૂળ મરાઠીના સંપાદક
ભાઉ ધર્માધિકારી
અનુવાદક
ગોકુળભાઈ દો. ભટ્ટ
નવજીવન પ્રકાશન મંદિર
અમદાવાદ–૩૮૦ ૦૧૪
મુદ્રક અને પ્રકાશક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૩૮૦ ૦૧૪
© નવજીવન ટ્રસ્ટ, ૧૯૮૦
પહેલી આવૃત્તિ, પ્રત: ૨,૦૦૦
સરકાર દ્વારા રાહતદરે પૂરા પાડવામાં આવેલા
કાગળ પર આ પુસ્તક છાપવામાં આવ્યું છે.
રૂ. ૧૨.૦૦
ઓક્ટોબર, ૧૯૮૦
આમુખ
પરમ પૂજ્ય નાથજી જીવતા હતા ત્યારે તેમના મિત્રો તથા તેમના પ્રત્યે આદરભાવ ધરાવનારા અનેક પ્રશંસકો તરફથી તેમને લાંબા અરસાથી વિનંતી કરવામાં આવતી હતી કે તેમણે પોતાની આત્મકથા લખવી. તેમની સાધનાના અનુભવો તેમના જ હાથે લખાય તો શ્રેયાર્થીજનોને પુષ્કળ માર્ગદર્શન મળશે. આ ઉદ્દેશથી મિત્રો તેમને વારંવાર વીનવતા રહેતા. પણ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિથી નિત્યે દૂર રહેવાના તેમના સ્વભાવને કારણે તેઓ મિત્રોની વિનંતી માન્ય કરતા નહોતા. તોપણ છેવટના દિવસોમાં તેમણે સ્વ. રિષભદાસજી રાંકા પાસે પોતાના જીવનના મહત્ત્વના પ્રસંગો લખાવી દેવાનું સ્વીકાર્યું. પણ તે લખાણ પાછું વાંચતાં તેમને સંતોષ થયો નહીં, તેથી તેઓ જે પ્રસંગો ટેપ પર ઊતરાવતા તે નોંધતા ગયા.
છેવટની માંદગીમાં તેમણે એવી ઇચ્છા દર્શાવી કે જેટલી સામગ્રી ભેગી થઈ છે તે ઉપરથી જીવનવૃત્તાંત તૈયાર થઈ શકતું હોય તો તે કામ શ્રી ભાઉ ધર્માધિકારીને સોંપવું. તેમના દેહાવસાન પછી અમે તે કામ પાર પાડવાની શ્રી ભાઉસાહેબને વિનંતી કરી, અને અમને કહેતાં આનંદ થાય છે કે શ્રી ભાઉસાહેબે અમારી વિનંતી માની. આ રીતે બધી નોંધો, સ્વ. રિષભદાસે ટાઇપ કરી રાખેલ સર્વ કાગળો તથા ટેપરેકર્ડો અમે ભાઉસાહેબને સુપરત કર્યાં.
શ્રી ભાઉસાહેબે અતિશય પરિશ્રમ કરીને ઝીણવટભરી દૃષ્ટિથી બહુ જ થોડા સમયમાં સામગ્રીનું સંકલન કર્યું અને મૂળ મરાઠીમાં આ જીવનચરિત્ર તૈયાર કર્યું, તે માટે અમે તેમના ભારે ઋણી છીએ.
પૂજ્ય નાથજીએ તત્ત્વજ્ઞાનના અને અધ્યાત્મના ક્ષેત્રમાં એક સ્વતંત્ર અને મહામૂલું સંશોધન કર્યું છે. તે તેમના ‘વિવેક અને સાધના’ એ પુસ્તકમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદિત કર્યું છે. પૂ. નાથજીનું આ જીવનચરિત્ર જિજ્ઞાસુ વાચકોને સમજવામાં ‘વિવેક અને સાધના’ ઘણું ઉપયોગી થશે એવી અમને ખાતરી છે.
સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ પોતાનું ‘ગીતામંથન’ પુસ્તક પૂ. નાથજીને અર્પણ કરતાં નીચે પ્રમાણે લખ્યું છે:
“અર્પણ
શ્રીકૃષ્ણચંદ્રને
સદ્ગુરુરૂપે આલેખતાં
જે નમૂનો મારી આંખો આગળ વારંવાર તરતો રહ્યો છે,
તે મારા પરમ હિતચિંતક અને માર્ગદર્શક
પૂજ્ય ગુરુદેવને
સાષ્ટાંગ દંડવત્ પ્રણામપૂર્વક”
૩
સન ૧૯૧૫માં પૂજ્ય ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાનમાં પાછા આવ્યા તે સમયે રાજકીય ક્ષેત્રે જે શોચનીય અને નિરાશાજનક પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેમાં પૂજ્ય ગાંધીજીએ અસહકાર અને સવિનય કાયદાભંગનાં સાધન દેશ સમક્ષ મૂક્યાં અને અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભીને રાષ્ટ્રમાં એક નવી શક્તિ નિર્માણ કરી. અંતે એ જ સાધનથી અને પ્રવૃત્તિઓથી હિન્દુસ્તાનને સ્વતંત્રતા અપાવી અને એક અપૂર્વ તથા વિરલ તેજ રાજકારણના ક્ષેત્રમાં દાખલ કર્યું.
અધ્યાત્મના અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આપણા સમાજમાં લગભગ એવી જ નિરાશાજનક અને શોચનીય પરિસ્થિતિ પ્રવર્તતી હતી.
તત્ત્વજ્ઞાનના વિષયમાં જ્યારે જ્ઞાનને નામે બુદ્ધિ કસવાની કસરત જેવા નિરર્થક વિવાદ ચાલતા હતા, ભક્તિને નામે વેવલાપણું અને ભારે પરાવલંબીપણું નિર્માણ થયું હતું, તેમ જ કર્મને નામે આસક્તિજન્ય તથા ભોગપ્રધાન કર્મોમાં સમાજ ગોંધાઈ ગયો હતો, એવે ટાણે પૂ. નાથજીએ ભારે તપ, ચિંતન અને પુરુષાર્થપૂર્વક તત્ત્વજ્ઞાનમાં સંશોધન કરી સમાજને જે ખરું તત્ત્વજ્ઞાન અને સાચી દૃષ્ટિ આપી તે કામ રાજકીય ક્ષેત્રમાં પૂજ્ય ગાંધીજીએ ભરેલ જોમ જેટલું જ તેજસ્વી, પુરુષાર્થપ્રેરક અને કલ્યાણકારી નીવડ્યું છે.
‘વિવેક અને સાધના’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્વ. કિશોરલાલ મશરૂવાળા અને સ્વ. રમણીકલાલ મોદીએ લખ્યું છે:
“આપણા દેશને શ્રેષ્ઠ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ નિર્માણ કર્યાનું માન છે. નીતિ અને તત્ત્વવિચારના ક્ષેત્રમાં ભારતના વિચારકોએ જે સ્વતંત્રતા બતાવી છે અને પરાકાષ્ઠા કરેલી છે, તે બીજા સર્વે દેશો કરતાં ચડી જાય છે. આ દાવો આપણે પોતે જ આપણે માટે કર્યો છે એમ નહીં, પણ જગતના સર્વે દેશોના મહાન ફિલસૂફોએ તે સ્વીકારેલો છે. સ્વાભાવિક રીતે જ આપણને તે માટે અભિમાન અને ધન્યતા લાગે છે.
“વળી, ભારતવર્ષની પ્રજા જગતની સર્વે પ્રજાઓ કરતાં ઘણી વધારે ધર્મપરાયણ અને જગતની ભૌતિક વસ્તુઓ અને મોટાઈ કરતાં ધર્મને વધુ મહત્ત્વ આપનારી છે, એવી આપણી ખ્યાતિ છે. સંસારના સર્વે વિષયો અને કર્મોની આપણે કેવળ ભૌતિક લાભહાનિથી કિંમત આંકતા નથી, પણ તેનાં આધ્યાત્મિક, ધાર્મિક અથવા નૈતિક પરિણામો પ્રમાણે કિંમત આંકીએ છીએ એવું આપણે માટે કહેવાય છે. આપણે માટેની આ માન્યતાનો પણ આપણને ગર્વ થાય છે.
“આમ આપણને આપણી સંસ્કૃતિ વિશે પ્રાચીનતા, શ્રેષ્ઠતાનું અને આપણી ધર્મભાવનાનું તીવ્રપણે ભાન છે, અને તે ભાનનો કેફ પણ છે. એ
૪
કેફના જોરમાં આપણે એમ પણ કહી શકીએ છીએ કે એવી બાબતોમાં તો આપણે જગતના ગુરુસ્થાને છીએ; બીજો કોઈ દેશ આપણને કશું નવું શીખવી કે આપી શકે એમ નથી; ઊલટું, બીજી સંસ્કૃતિઓમાંથીયે કાંઈ લેવા જેવું છે એમ લાગવું તે જ આપણામાં મોટો દોષ છે. જે કાંઈ બહારથી પેસી ગયું છે તેને કાઢી નાખવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ.
“આપણી દૃષ્ટિથી આપણો આટલો બધો મહિમા હોવા છતાં પ્રજા તરીકે આપણી કેવી દયાજનક અને કોઈને અદેખાઈ ન થાય એવી કંગાળ હાલત છે! કેવો પરતંત્રતા અને ગુલામીથી ભરેલો આપણો સદીઓ ને સદીઓ સુધીનો ઇતિહાસ છે! કેટલી વિષમતા, દરિદ્રતા, સંકુચિતતા, ભેદદૃષ્ટિ અને અબંધુત્વ છે! કેટલાં નાનાં નાનાં એકબીજા સાથે સદૈવ લડ્યા કરતાં રાજ્યો, પંથો અને ન્યાતજાતો છે! બળિયાને હાથે નિર્બળ પર જુલમ, દીન અને સ્ત્રીજાતિનું દલન જમાના સુધી વણથોભ્યું ચાલતું રહ્યું છે
“જો બુદ્ધિ, સંસ્કારિતા અને ધર્મભાવનામાં આપણે ઘણા ઉપર ચડેલા અને આગળ વધેલા છીએ, તો આપણું સાર્વજનિક જીવન — રાજકીય, આર્થિક, સામાજિક, આરોગ્ય વગેરે સર્વે ક્ષેત્રોમાં — આટલું બધું કંગાળ કેમ? ધર્મ, અર્થ અને કામનું ઘણું સ્પષ્ટ અને સૂક્ષ્મ દર્શન પામેલા સમાજનું આટલું પતન થઈ જ કેમ શકયું? કદાચ અણધારેલી આપત્તિથી થોડાં વર્ષ માટે દુ:ખનું મોજું ફરી જાય એ સમજી શકાય. પણ સેંકડો વરસ સુધી હ્રાસ જ ચાલ્યા કરે અને કરોડોની જનસંખ્યા છતાં, અર્થપ્રાપ્તિનાં કુદરતી સાધનોની વિપુલતા છતાં તથા બુદ્ધિમાન અને વીર સ્ત્રીપુરુષોની પરંપરા અણતૂટ રહેવા છતાં, આપણો દેશ તે બેડીઓને તોડી ન શકે, ઊલટો એક પછી એક નવા નવા વિજેતાઓથી પાદાક્રાંત થતો જાય એ શક્ય જ કેમ થયું? કયા પાપથી આપણે પરાભૂત થયા, અથવા કયા સત્યનો લોપ કરવાથી આપણે શાપિત થયા અને હજારો વર્ષ સુધી દુ:ખના દરિયામાં સપડાતા જ ગયા? વચ્ચે વચ્ચે ઈશ્વરના અવતાર સમા લાગે એવા પરાક્રમી પુરુષો, ઈશ્વર સાથે એકતા સાધેલા બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ અને પરમ કૃપાળુ સંતવૃત્તિના પુરુષોના વારંવાર પ્રયત્નો છતાં, જેમ રબરની પટ્ટી ખેંચી રાખીએ ત્યાં સુધી જ મોટી થયેલી દેખાય પણ છોડી દેતાં જ સંકોચાઈ જાય તેમ, આપણી પ્રજા તેવા ઉદ્ધારકોનાં જીવન સમાપ્ત થતાં જ પાછી વિપત્તિ અને દુષ્ટતાની શિકાર બન્યા જ કરી, એવું કયું પાપ આપણા જીવનને વળગી ગયું હતું અને હજુયે વળગેલું હોય એમ લાગે છે?
“અમને લાગે છે કે આ મૂંઝવણોનો ઉકેલ શોધનારને ‘વિવેક અને સાધના’ પુસ્તક અતિશય મદદગાર થશે....”
ઉપરના લેખકોએ ‘વિવેક અને સાધના’ પુસ્તક વિશે જે કહ્યું છે તે જ અમારું આ પુસ્તક માટેયે કહેવું છે.
પ
આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે અમે પૂજ્ય નાથજીના પ્રશંસક અને સેવક શ્રી ગોકુળભાઈ ભટ્ટને મળ્યા અને એ પુસ્તકનો અનુવાદ ગુજરાતી- માં કરવા માટે એમને વિનંતી કરી. શ્રી ગોકુળભાઈએ પોતાનાં અનેકવિધ રોકાણો છતાંય એ કામ કરવાનું કબૂલ કર્યું અને એ રીતે આ ગુજરાતી અનુવાદ તૈયાર થયો છે. વચમાં વચમાં શ્રી ગોકુળભાઈનાં બીજાં રોકાણોને કારણે શ્રી ગોકુળભાઈએ આ કામમાં પોતાના વિદ્યાર્થી-સાથી શ્રી લક્ષ્મીદાસ નૈગાંધીની મદદ લીધી. શ્રી લક્ષ્મીદાસભાઈ પૂજ્ય નાથજીના ગાઢ પરિચયમાં આવેલા અને તેમના મૂક પ્રશંસક છે. શ્રી લક્ષ્મીદાસભાઈનું લખાણ શ્રી ગોકુળભાઈ જોઈ ગયા છે અને એ રીતે આ આખો અનુવાદ શ્રી ગોકુળભાઈ ભટ્ટ મારફતે થયો છે તેમ કહેવું વધુ ઉચિત ગણાશે.
અમે આ અનુવાદ માટે શ્રી ગોકુળભાઈ ભટ્ટ અને શ્રી લક્ષ્મીદાસભાઈ નૈગાંધીના ઋણી છીએ અને આશા રાખીએ છીએ કે આ પુસ્તક ગુજરાતી વાચકોને પોતાની શ્રેયસાધનામાં માર્ગદર્શન ઉપરાંત અખૂટ બળ અને ધીરજ મેળવવા માટે પ્રેરણાદાયી બની રહેશે.
પુરુષોત્તમ કાનજી(કાકુભાઈ)
અધ્યક્ષ
શ્રી કેદારનાથજી સ્મારક ટ્રસ્ટ, મુંબઈ
હ્મ
અનુવાદ અંગે
હોંશે હોંશે કામ ઉપાડયું. જલદી તે પૂરું કરવા ધાર્યું હતું. પણ અન્ય કાર્યવશાત્ મોડું થયું. વધુ મોડું ન થાય તે માટે મારા સાથી સમા જૂના વિદ્યાર્થી પૂ. નાથજીના ભક્ત શ્રી લક્ષ્મીદાસ નૈગાંધીની મદદ લીધી. વળી જયપુરના અનાયાસે મળી આવેલ વાદ્યકલાકાર શ્રી અરવિંદ દિઘે તથા શ્રીમતી રોહિણી દિઘેની મદદ મળી. અને આ રીતે સાંપડેલ સહાયતાથી આ કાર્ય પૂરું થયું છે. કાળજીપૂર્વક મૂળને ક્ષતિ ન પહોંચે એ રીતનો આ યત્ન છે. ભૂલો રહેવા પામી હશે તેની ક્ષમા માગી લઉં છું. સૂચનાઓ મોકલનારનો આભારી થઈશ.
આ અનુવાદ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરવાનું ઉપાડી લીધું તે સ્વ. પૂ. નાથજીનો અને પૂ. ગાંધીજીનો સંબંધ જોતાં યોગ્ય જ થયું છે. પ્રબંધક ટ્રસ્ટી ભાઈ શ્રી શાંતિલાલ હરજીવન શાહને આ નિર્ણય માટે ધન્યવાદ આપ્યા વિના આ નોંધ પૂરી કેમ થાય?
ગોકુળભાઈ દો. ભટ્ટ
જયપુર,
ઈશુ જયંતી, ૨૫-૧૨-‘૭૯
૭
ક્ષમાયાચના
હવે એક જ મહત્ત્વની વાત મારે પોતાને વિશે કહેવાની રહે છે. દરેક માણસને પોતાને વિશે મમતા હોવાથી પોતાના આચારવિચાર તેને પ્રિય લાગે છે. તેને કારણે પોતાના જીવનમાં તેને ઉદાત્તતા, ભવ્યતા, સજ્જનતા, વિશેષતા વગેરે બધું જ લાગે છે. તે વખતે જીવનમાં પોતાના તરફથી થયેલી ગમે તેવી મોટી ભૂલો, દોષો, અપરાધો, તેમ જ પોતાના દુર્ગુણો, દુર્બુદ્ધિ અને વિકારો એ બધાંનું તેને વિસ્મરણ થાય છે. પણ આ વાત સત્ય અને પ્રામાણિકતાની સાથે મેળ ખાતી નથી. માણસમાત્ર ઓછાવત્તા પ્રમાણમાં ગુણદોષોથી ભરેલો હોય છે. એ નિયમ પ્રમાણે જોતાં મારા કોઈ પણ દોષો મેં ‘પરિચય’માં બતાવ્યા ન હોય તોય બીજાઓની જેમ જ મારામાં પણ ગુણદોષોનું મિશ્રણ છે. જેમના દોષોની દુનિયાને ઝાઝી ખબર હોતી નથી કે જેમના દોષોથી કોઈને ઘણું નુકસાન થયેલું હોતું નથી અથવા જેઓ દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને જેમના ગુણોને થોડીઘણી ખ્યાતિ મળેલી હોય છે તેઓ દુનિયામાં ‘ભલા’ ગણાય છે. એવા અનેક ‘ભલા’માંનો હું એક છું એટલું જ વાચકોએ મારે વિશે સમજવું. જે જીવનસિદ્ધિ વિશે મેં પુસ્તકમાં વારંવાર લખ્યું છે તે હજુ મને પૂરેપૂરી પ્રાપ્ત થઈ નથી; તેમ છતાં તે દિશા તરફ હું શક્ય તેટલો પ્રયત્નશીલ છું.
પોતાને વિશે સારું કે ખોટું કશું પણ કહેવાનો સ્વભાવથી જેને કંટાળો છે એવા અને કેવળ કર્તવ્યનિષ્ઠ રહેવાનો પ્રયત્ન કરનારા મારા જેવાને પોતાનો પરિચય આટલો વિસ્તારપૂર્વક લખવો પડ્યો છે. ‘અહંવૃત્તિ’ને બને તેટલી ઓછી કરીનેય મેં જે પોતાને વિશે લખ્યું છે તે પણ મિત્રોના આગ્રહને કારણે તેમ જ પુસ્તકમાં આપેલા વિચારોની પાછળ જીવનભરની પ્રયત્નશીલતા છે એ વાત વાચકોના ધ્યાનમાં આવે એટલા માટે. તેમ છતાં એમાં કોઈને આત્મસ્તુતિનો દોષ જણાય તો તેનો મારે નમ્રતાપૂર્વક સ્વીકાર કરવો જ રહ્યો. તે બદલ વાચકો મને ઉદારતાપૂર્વક ક્ષમા કરે એટલી તેમને વિનંતી છે.
– કેદારનાથ
અનુક્રમણિકા
આમુખ
અનુવાદ અંગે
ક્ષમાયાચના
પુરુષોત્તમ કાનજી
ગોકુળભાઈ દૌ. ભટ્ટ
કેદારનાથજી
३
७
८
૧. બાલ્યકાળ
૨. માનો વિયોગ
૩. પુણેમાં
૪. પુણેના સંસ્કાર
૫. ખાનદેશમાં
૬. વ્યાયામપ્રેમ અને સ્વદેશપ્રેમ
૭. સ્વદેશસેવાનો પ્રારંભ
૮. ઘરવાળાંની ચિંતા
૯. મનની ખેંચતાણ અને ગૃહત્યાગ
૧૦. સજ્જનગઢમાં
૧૧. ક્રાન્તિના સહાયકોની શોધમાં
૧૨. મારા વ્યાયામશિક્ષણનું સાધ્ય
૧૩. બે જૂના ક્રાન્તિવીરો
૧૪. અમારું સાહસ ગયું ક્યાં?
૧૫. મહાડની જિલ્લા પરિષદ
૧૬. સશસ્ત્ર ક્રાન્તિનું વૈફલ્ય
૧૭. રામદાસી સંશોધનને નિમિત્તે
૧૮. શક્તિની શોધમાં
૧૯. મારા પર ફોજદારી કેસ
૨૦. સાધકાવસ્થા
૨૧. સત્સંગ
૨૨. તીર્થયાત્રા
૨૩. મહાત્માની શોધ માટે કુંભમેળામાં
૨૪. ગાંધીજી સાથે પરિચય
૨૫. વણનોતરી જવાબદારી
૨૬. સાધકનો સહાયક
૨૭. માનવજીવનની સિદ્ધિ
૨૮. મહાત્માજી સાથે સંબંધ
૨૯. કેટલાક મનોરંજક પ્રસંગ
१
४
८
१२
१६
२०
२८
३२
३८
४२
४५
४८
५३
५७
६१
६७
७४
७८
८२
८८
८६
१००
૧૦૫
१०८
૧૧૫
१२४
१३०
१३४
१३८
નગીનદાસ
નગીનદાસ
કેદારનાથ
એક
બાલ્યકાળ
મિત્રોના આગ્રહથી હું મારી આ જીવનકથા લખી રહ્યો છું.
મારા પિતાજીનું નામ અપ્પાજી બળવંત. અટક કુળકર્ણી. કામકાજને લીધે દેશપાંડે પણ કહેવાતી. કોલાબા જિલ્લામાં પાલી એ અમારા પૂર્વજોનું ઘણા જૂના સમયનું નિવાસનું ગામ. ત્યાંની પટલાઈ તથા વતનદારીનાં બીજાં કામ વંશપરંપરાથી અમારા ઘરમાં ચાલતાં આવ્યાં હતાં. પિતાજી તથા તેમના પાંચ ભાઈ અને તેમનો સૌનો પરિવાર મળીને અમારું કુટુંબ ઘણું જ વિશાળ હતું. સરકારી નોકરીને લીધે પિતાજીને બહારગામોમાં રહેવાનું થતું હતું. થાણા, રત્નાગિરી, ખાનદેશ વગેરે જિલ્લાઓમાં અનેક ઠેકાણે નોકરી નિમિત્તે તેમને રહેવું પડતું હતું. મારો બાલ્યકાળ આ ત્રણ-ચાર જિલ્લાઓમાં વીત્યો. મારો જન્મ સને ૧૮૮૩ના ડિસેમ્બરની ૨૫મી તારીખે(ઈશુજયંતીને દિવસે) થયો હતો. બધાં મળીને અમે છ ભાઈઓ તથા ત્રણ બહેનો. અમારું ઘર મધ્યમ સ્થિતિનું હોવાથી અમારી રહેણી સાદી હતી.
મારા જીવનનાં એકદમ નાનપણનાં એટલે કે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારનાં સ્મરણો તે અમે જ્યારે રત્નાગિરી જિલ્લામાં ગુહાગરમાં રહેતા હતા ત્યારનાં છે. મારા પિતાજી ત્યાં ઉપ-રજિસ્ટ્રારના પદ ઉપર હતા. તે કાળે ત્યાં મારાં માતુશ્રી, પિતાજી, મારાથી મોટા બે સહોદરો – ભાઉ(સદાશિવ અપ્પાજી) તથા બાબા(ત્રિંબક અપ્પાજી), તેમના પછીની એક બહેન, હું અને મારાથી નાનો મારો નાનો ભાઈ એટલાં અમે સૌ રહેતાં હતાં. સૌથી મારી મોટી બહેન બાયજી ત્યાં ક્યારેક ક્યારેક આવતી. ત્યાં ખરેના વંડામાં અમે રહેતાં હતાં અને ત્યાં જ ધૂળી નિશાળમાં મારા શિક્ષણનો આરંભ થયો. નિશાળ અમારા ઘરની સમીપમાં જ હતી. કેટલાક દિવસો પછી હું મંદિરમાં ચાલતી નિશાળમાં જવા લાગ્યો.
તે દિવસોમાં ગુહાગરમાં જાંબલી પથ્થરના રસ્તા હતા. તે દિવસોમાં ગુહાગરથી અમારે ગામ પાલી જવું પડતું હતું. પાલીનું અમારું ઘર ઘણું વિશાળ હતું. તેની બાંધણી ચારે બાજુ ઓસરીવાળી હતી. સારો મોટો દરવાજો અને આઠ મોટી દેવડી. માણસોથી ભર્યુંભાદર્યું ઘર. તેમાં મારા મોટા બાપા, મોટાં બા, કાકા, કાકી અને મારા કરતાં મોટાં અને મારા જેવડાં તેમનાં છોકરાં
<footer style="text-align: center; bottom: 2cm; width: calc(100% - 4cm);"> કે.-૧ ૧ </footer>
૨: કેદારનાથ
તથા અનેક નોકરચાકર વગેરે જોઈને મને આશ્ચર્ય અને આનંદ વર્તાતો. દેવડીની સામે બે ઘોડાઓ કાયમ માટે બાંધેલા તૈયાર રહેતા. આવા વિશાળ કુટુંબમાં મારા દિવસો સુખમાં તથા આનંદમાં પસાર થતા હતા તેનું મને આજેય સ્મરણ છે.
થોડાક દિવસોમાં પિતાજીની બદલી રાજાપુરા ગામમાં થઈ તેથી અમારે સૌને ત્યાં જવું પડ્યું. જોકે રાજાપુર પણ રત્નાગિરી જિલ્લામાં જ છે. રાજાપુર ગુહાગર કરતાં મોટું ગામ છે. તે પ્રસિદ્ધ ગામ છે – બંદર છે. ત્યાં ગયા પછી હું ત્યાંની શાળામાં ભણવા લાગ્યો. પહેલાં તે નિશાળ હસ્તી- મહાલમાં હતી. પછી તે કુળકર્ણીના વાડામાં ગઈ. ગુહાગર કરતાં રાજાપુરનાં સંસ્મરણો વધારે સ્પષ્ટરૂપે સાંભરે છે, કારણ કે ગુહાગરમાં હતો તે કરતાં રાજાપુરમાં હું ઉંમરે મોટો હતો. રાજાપુરમાં અમે પહેલાં ધૂતપાપેશ્વર રસ્તા ઉપર રહેતાં હતાં. ત્યાંથી અમે નદીપાર ટેકરી ઉપર મહાદેવરાવ ખાડેના ઘરમાં રહેતાં હતાં. ખાડે રત્નાગિરી જિલ્લામાં સરકારી નોકરીમાં હતા. તેમની બન્ને બહેનો તેમના ઘરમાં રાજાપુરમાં રહેતી હતી. રાજાપુરમાં અમે ગાય પાળી હતી. મારા સ્વભાવ પ્રમાણે ભણવા કરતાં મારા મનનું વલણ કામ કરવા તરફ વધારે હતું. પિતાજી બહારગામ જતા ત્યારે ખાડેની એક બહેન—અક્કા દૂધ દોહતી ત્યારે દોહતી વેળા વાછડાને જોરથી પકડી રાખવાનું કામ હું જ કરતો હતો. મને તે કામ ગમતું, પણ વાછડાને દૂધ ન પીવા દેવાનું રુચતું નહોતું. એક દિવસ અક્કાએ મારી માને કહ્યું, “તમારો દીકરો સારો છે, કામ સરસ કરે છે.” ત્યારે બાએ કહ્યું, “તે વળ્યો તો સુત, નહીં તો ભૂત છે.” મારી માએ મારા સ્વભાવનું જે વર્ણન કર્યું તે યથાર્થ હતું.
આ ગામ નદીના બન્ને કાંઠા ઉપર વસેલું છે. ત્યાંના રસ્તા પહોળા, પથ્થરથી બાંધેલા હતા. ત્યાંનાં બજારો મોટાં, દુકાનો ઘણી, વસ્તી કેટલેક અંશે શિક્ષિતોની; ત્યાં મુસલમાનોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેથી ત્યાંની મસ્જિદ પણ ભવ્ય હતી. નિશાળ ચોથા અંગ્રેજી ધોરણ સુધીની હતી. રત્નાગિરી જિલ્લામાં રાજાપુરની વિશેષતા હતી. રાજાપુરની ગંગા અને ત્યાંના ગરમ પાણીના કુંડ પણ પ્રખ્યાત હતા. આવે ઠેકાણે મારો વિદ્યાભ્યાસ થયો હોવાથી મારા ભણતરને સારું વલણ મળ્યું હતું. રાજાપુરની નિશાળ સારી રીતે વ્યવસ્થિત- પણે ચાલતી હતી. જોકે ત્યારે મારી ઉંમર છ વર્ષની હતી છતાં મને મારા શિક્ષકોનાં નામ સારી પેઠે સાંભરે છે. અમારી નિશાળના હેડમાસ્તર ધર્મા નામના હતા અને વર્ગશિક્ષક રેગે માસ્તર હતા.
ત્યાં પરીક્ષા તથા નિરીક્ષણ સારુ ઇન્સ્પેકટર તથા સુપરિન્ટેન્ડેન્ટ આવતા રહેતા. પહેલવહેલા સૂટ-બૂટ પહેરેલા માણસને રાજપુરમાં અમારી નિશાળમાં જ જોયા. તેમનું નામ સીતારામ વિશ્વનાથ પટવર્ધન. તે બી.એ. થયા હતા. તેઓ જોકે સૂટ-બૂટમાં હતા પણ તેમને માથે ગોખલેશાહી જરીવાળી પાઘડી હતી.
<header>
બાલ્યકાળ: ૩
</header> <main>
તેમનો પગાર મામલતદાર કરતાં વધારે હતો એટલે અમને તે મામલતદાર કરતાં મોટા અધિકારી લાગતા. તે રાવબહાદુર હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ રાજાપુરમાં જ થયું હતું. તેથી તેમને તે ગામ માટે પોતાપણું લાગતું હતું. ત્યાં તેમના બાલ્યકાળના મિત્રો પણ હતા. તેમાંના એક તેલી હતા. તે જોકે મોટા અમલદાર બન્યા હતા તોય જ્યારે રાજાપુરમાં આવતા ત્યારે પેલા તેલી પાસે જતા રહેતા અને પેલો તેલી તેમને, ‘અરે, સિત્યા! કયારે આવ્યો?’ આમ બરોબરીના સંબંધ પ્રમાણે બોલતા રહેતા. અમને આશ્ચર્ય થતું કે આટલા મોટા અમલદારને ‘અરે, તું રે’ કહીને બોલાવે છે! પણ આજે જ્યારે એનો વિચાર કરું છું ત્યારે પટવર્ધનની મોટાઈનો ખ્યાલ આવે છે અને એ સ્મરણથી મારું હૃદય ભરાઈ આવે છે. મોટાઈ પદવી કે અધિકારમાં નથી પણ મનના મોટાપણામાં છે. ઊંચે ચડ્યા પછી જૂના સ્નેહસંબંધો સાચવી રાખવામાં મોટાઈ છે. જ્યારે તેઓ નિરીક્ષણ સારુ આવતા ત્યારે અમને સૌ વિદ્યાર્થીઓને આનંદ થતો. કારણ કે તેઓ જ્યારે આવવાના હોય ત્યારે સૌ શિક્ષકો સોટી છુપાવી દેતા એટલે વિદ્યાર્થીઓને આનંદ થતો; અને બીજું કારણ એ હતું કે તેઓ વિદ્યાર્થીઓ સાથે મળતા અને સ્નેહભર્યું વર્તન બોલવામાં તેમના હાલહવાલ પૂછવામાં રાખતા. સીતારામના મિત્રો સાથેના વ્યવહારની મારા મન ઉપર ભારે અસર થઈ હતી. પ્રેમસંબંધ બંધાયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તોપણ પહેલા પ્રમાણે જ પ્રેમસંબંધ જાળવી રાખવામાં મોટાઈ દેખાઈ આવતી.
રાજાપુરના અમારા વસવાટ દરમ્યાન અમારાં ભાભી અમારી સાથે જ રહેતાં હતાં. તે માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ તથા સન્માન દાખવતાં, તેમની આજ્ઞાનું પાલન કરતાં. અમને નાનાંઓને પણ તે માનપૂર્વક બોલાવતાં. માતા- પિતાના નામ સાથે ‘સાહેબ’ શબ્દ જોડતાં પણ અમ નાનાં છોકરાંઓના નામની પાછળ પણ તે સાહેબ શબ્દ જોડતાં. મને તે ‘બાપુસાહેબ’ કહેતાં, ભાઈને ‘ભાઉસાહેબ’ ને મોટા બાપાને ‘બાબાસાહેબ’ કહેતાં. અમે ભાઈબહેન પર- સ્પરમાં ‘સાહેબ’ શબ્દ ન લગાડતાં, બાપુ, બાબા, ભાઈ, બા એમ કહેતા તો પછી ભાભી સૌનાં નામ પાછળ ‘સાહેબ’ કાં લગાડે છે! ભાભી એટલે કોણ આ વિચાર મારા બાલમાનસમાં કેટલાયે દિવસો સુધી ઘોળાતો રહ્યો. પછી મોટાભાઈ શંકરદાદા આવ્યા ત્યારે ગૂંચ ઊકલી કે ભાભી એટલે મોટાભાઈ શંકરદાદાનાં પત્ની
</main>
બે
માનો વિયોગ
રાજાપુરમાં હતા ત્યારે મારા મોટાભાઈ મુરબ્બી શંકરદાદા જેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા હતા તેઓ આવ્યા. સન ૧૮૯૩માં મુંબઈમાં હિંદુ-મુસલમાનનું મોટું હુલ્લડ થયું હતું અને તે ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. હુલ્લડના ભયંકર સમાચારો આવતા રહેતા હતા તેથી માતા- પિતા ભારે ચિંતામાં રહેતાં. મુ. શંકરદાદા કૉલેજની રજામાં રાજાપુર આવ્યા. અમને સૌને તેથી ઘણો આનંદ થયો. તે સમયે અમારી મોટી બહેન પણ સાસરેથી આવી હતી તે તે સમયે જ માંદગીમાંથી ઊઠી હતી. તે અને ભાભી લગભગ એક જ ઉંમરનાં. બાનો શંકરદાદા ઉપર અધિક પ્રેમ હતો એવું મને લાગતું હતું. બન્ને લાંબી વાતચીત કરતાં રહ્યાં. શંકરદાદાનું વર્તન મુરબ્બીવટનું હતું. અમ સૌ ભાંડુડાંનો તેમના પ્રત્યે ભારે આદર હતો. અમે પરસ્પરમાં ‘અરે, તું ર’નો પ્રયોગ કરતાં પણ શંકરદાદાને અમે માનપૂર્વક સંબોધતાં તથા તેમની સાથે આદરપૂર્વકનો વ્યવહાર રાખતાં. તેઓ મુંબઈ જવા રવાના થયા. તે દિવસોમાં રાજાપુરથી મુંબઈ જવા સારુ રાજાપુરથી નાની હોડીમાં બેસી જૈતાપુર બંદર જવું પડતું અને ત્યાંથી આગબોટમાં બેસી મુંબઈ જવું પડતું. શંકરદાદા જૈતાપુર બંદર જવા સારુ સાંજે રવાના થયા પણ હોડી તે પહેલાં જ રવાના થઈ ચૂકી હતી તેથી તેમને ઘેર પાછા આવવું પડ્યું. તે રાત્રે અમે સૌ રસોડાની પાસેની ઓસરીમાં જમવા બેઠાં હતાં. મા સૌને પીરસતી હતી. શંકરદાદા રહી ગયા તેથી તેને સારું લાગ્યું હશે કારણ કે પીરસતી વેળા પણ તે શંકરદાદા સાથે વાત કરતી હતી.
ભોજન પછી હું સૂઈ ગયો. પણ કાંઈ ગરબડ થવાથી હું જાગ્યો. પિતાજી, શંકરદાદા, બીજા બન્ને બંધુ—ભાઉ અને બાબા—બધા જાગતા હતા. મારી મોટી બહેન ઓરસિયા ઉપર દવા ઘસતી હતી. મને લાગ્યું કે બા બીમાર છે. ડૉકટર આવ્યા હતા અને પિતાજી સાથે વાત કરી રહ્યા હતા. તેમની વાતો મને સમજાતી નહોતી. એકંદરે વાતાવરણ ગંભીર, ભય- પ્રદ તથા ચિંતાજનક દેખાતું હતું. તે જોઈને હું ગભરાઈને માની ઓરડીમાં જવા લાગ્યો પણ મને ત્યાં જવા ન દીધો. મારું મન વારે ઘડીએ ભરાઈ આવ્યું. ત્યારે પિતાજીએ તથા બહેને મને સમજાવીને સુવડાવી દીધો. હું ઊંઘી ગયો. સવારના ઊઠતાં જ હું બાની ઓરડી ભણી જવા લાગ્યો ત્યારે મને
ર
<header>
માનો વિયોગ: ૫
</header> <main>
અંદર જવા દીધો નહીં. તે વેળા બધી હોહા તો શાંત થઈ ગઈ હતી. પણ વાતાવરણ ઉદાસ જેવું લાગતું હતું. ત્યારે ઓરડીમાંથી નાના બાળકનો રોવાનો અવાજ સંભળાયો. પિતા, શંકરદાદા, ભાઈ, મોટા બાપા, બહેન સર્વ દુ:ખી દેખાતાં હતાં. ભાભી ક્યાંક હશે. મારાં નાનાં ભાઈબહેન સર્વે દીનભાવે જોઈ રહ્યાં હતાં. રાતની અને સવારની સ્થિતિ જોઈને હું ગભરાઈ ગયો હતો. પણ શું દુ:ખ છે ને તે શું છે તે સમજાતું નહોતું અને પુછાય તેમ પણ નહોતું.
થોડીક વેળા પછી ગામલોકો માથે કાંઈ પણ ન પહેરતાં, ઉદાસ ચહેરે અમારે ઘેર આવવા લાગ્યા હતા; ત્યારે અમને સૌને પડોશીને ઘેર મોકલી દેવામાં આવ્યાં હતાં. પડોશવાળી મહિલાઓ અમારી ભણી દયાર્દ્ર ભાવે તથા કરુણાપૂર્ણ સહાનુભૂતિનો ભાવ દર્શાવતી જોઈ રહી હતી તથા વેદના પ્રગટ કરતી હતી. ત્યાંથી બે-ત્રણ કલાક પછી અમને ઘેર લાવવામાં આવ્યાં ત્યારે પણ વાતાવરણ દુ:ખી અને ઉદાસ હતું. ઘેર આવ્યા પછી માના ઓરડામાં મા દેખાઈ નહીં. ત્યાંની સર્વ સ્થિતિ બદલાઈ ગયેલી દેખાઈ. એકદમ નાનું એક બાળક દેખાયું. એ ક્યાંથી આવ્યું? બહેન વ્યગ્ર હતી. તેને પૂછયું, ‘બા ક્યાં છે?’ તેણે દુ:ખપૂર્વક કહ્યું, ‘બા પંઢરપુર ગઈ છે.’ મને લાગ્યું કે આજ એકાદશી હોવી જોઈએ. એકાદશીએ લોકો પંઢરપુર જાય છે તેની મને ખબર હતી. એટલે બા પંઢરપુર ગઈ હશે. પણ પાછો વિચાર આવ્યો કે અમને કાંઈ પણ કહ્યા વગર કેમ ગઈ અને એની ઓરડીમાં નાનું બાળક ક્યાંથી આવ્યું? કાંઈ સમજાયું નહીં. બહેનને કે કોઈને પૂછીએ તો સર્વે દુ:ખી. કોઈને પૂછવાની હિંમત થતી નહીં. થોડીક વારમાં ઘરે આવનારાઓની સાથે પિતાજીની વાતો પરથી મને કાંઈક વિપરીત થયું હોય એમ લાગ્યું. પણ તેટલા ઉપરથી બરાબર સમજી શકું તેટલી મારી ઉંમર નહોતી. છેવટે મને એટલું જ સમજાયું કે બા રાત્રે પ્રસૂતા થઈ. એક ભાઈ અમને દઈને દેવઘરે પહોંચી ગઈ. પ્રસૂતા થઈ. પ્રસૂતા થવું એટલે શું? પ્રસૂતા થવું એટલે કોઈ બીમારી હશે એમ મને લાગ્યું. આ પછી મારી ભાણેજને સુવાવડ આવી અને તેમાંથી પરવારી અને તે સ્વર્ગે સિધાવી. તે અલ્પવયી હતી. ત્યારે સુવાવડ એટલે બીમાર થવું એવું જ હું સમજતો હતો. અને એમાં સ્ત્રીઓ જ મરે છે, પુરુષોને સુવાવડ આવતી નથી અને તેઓ મરતા નથી એ તે શું? આ ઘણા દિવસો સુધી મારે માટે કોયડો જ રહ્યો. પણ પૂછવું કોને? કોણ સમજાવે? ત્યારથી મારા મનમાં ઠસી ગયું કે સુવાવડ એ ભયંકર વાત છે અને તેની બીક મારા મનમાં ઘર કરી ગઈ છે.
આગળ જતાં સુવાવડમાંથી કોઈ ચાલ્યું જાય કે કોઈના વૈધવ્યના પ્રસંગોની વાત જ્યારે જ્યારે જાણતો ત્યારે ત્યારે મન ભારે દુ:ખી થતું. સ્ત્રીઓની સુવાવડ તથા વૈધવ્ય એ ઘણા જ દુ:ખદાયક પ્રસંગો છે. તે કેમ ટાળી શકાય તેનો
</main>
ક: કેદારનાથ
ક્યારેક ક્યારેક ગંભીર વિચાર ચાલતો. સુવાવડનું કારણ શું અને વૈધવ્યમાં આટલું બધું દુ:ખ શા માટે વરતાય છે એનાં સામાજિક, કૌટુંબિક તથા વ્યક્તિગત કારણો શું છે તેનો સૂક્ષ્મપણે હું વિચાર કરી શકતો નહીં. બાળક કેવી રીતે જન્મે છે, સ્ત્રી-પુરુષ, પતિ-પત્નીના આંતરિક સંબંધો શા હોય છે એનું મને મારા છવ્વીસમા વર્ષ સુધી કશુંયે જ્ઞાન નહોતું. તોય સુવાવડ એ પતિવાળી સ્ત્રીને તથા વૈધવ્ય લગ્ન થઈ ગયેલી સ્ત્રીને જ પ્રાપ્ત થાય છે એટલું તો હું સમજ્યો હતો પણ તેનાં અંદરનાં કારણોથી હું અજાણ હતો. તે અજ્ઞાનપણામાંથી જ મારા અજ્ઞાનનિર્દેશના પ્રસંગો મને સાંપડયા છે.
અત્યંત પ્રિય વ્યક્તિ કે જેના ઉપર આપણું જીવન અવલંબેલું હોય છે એવી વ્યક્તિનો વિયોગ – મૃત્યુનો – મારા આયુષ્યમાં આ પહેલો જ પ્રસંગ હતો. તેમાંયે જન્મદાતા કે જેણે આપણું લાલનપાલન કર્યું, જે આપણા જીવનનો આધાર તે માતાના મૃત્યુનો આ પ્રસંગ. પિતા, મારાં નાનાંમોટાં ભાઈબહેનો એ બધાં ઉપર ભારે દુ:ખ આવી પડયું. એ સમયે પૂરા દુ:ખની કલ્પના થઈ શકે તેટલી વય મારી નહોતી. અમે સૌ નાનાં હતાં. પણ શંકરદાદા મોટા હતા. તેઓ ઘણા જ દુ:ખી અને ગંભીર દેખાયા, મારાં નાનાં ભાઈબહેન ઘણાં જ દયાપાત્ર, દીન દેખાયાં.
દિવસો ઉપર દિવસો વીતતા ગયા. નવો ભાઈ તે બાળક. તેના તરફ જોતાં દુ:ખ થાય. દિવસો પસાર થતા હતા પણ દુ:ખ ભુલાતું નહોતું. મા ગઈ. અમે કલ્પના કરી ન શકીએ એ અવસ્થામાં એ ચાલી ગઈ. નાનપણમાં આવી કલ્પનાઓ ઊઠતી નથી. પણ અવ્યક્તપણે તેનાં માઠાં પરિણામો મન ઉપર થાય જ છે એમ આજે ઊંડો વિચાર કરતાં લાગે છે. પિતાજી, ભાઈ, બહેન આ લોકો પરસ્પર માતા અંગે કાંઈ વાત કરતાં હશે પણ મારી કે મારાથી નાનાં ભાંડુઓ સાથે કોઈ કાંઈ વાત કરતાં નહીં, કારણ કે તેથી અમને દુ:ખ થશે. બહેન ક્યારેક કહેતી અને દુ:ખી થતી. સૌ પોતપોતાની રીતે શોકગ્રસ્ત જ હતાં. તે વેળાની મારી મન:સ્થિતિનું આજેય સ્પષ્ટ – સારું – પણ સ્મરણ છે. બા અમને રોજ પાસે બેસાડી રાખતી એમ તો નહોતું. અમે જ્યાં સુધી રમતાં તે સમય ટાળીને સોનાબાઈ રાતદહાડો બા પાસે જ રહેતી. તેની સ્થિતિ ઘણી જ દયાજનક થઈ. તેના જેવી જ સ્થિતિ મલ્હાર-(બાબા)ની પણ હતી. બાના ગયા પછી સોનાબાઈ પિતાને છોડતી નહોતી, એવી જ સ્થિતિ મલ્હારની. બા હતી ત્યારે તેને જ અમારે સારુ મહેનત કરવી પડતી. તેની સહાયક ભાભી હતી. બા ગઈ ત્યારે બહેન હમણાં જ બીમારીમાંથી ઊઠી હતી. તોય બાના ગયા પછી તે જ ભાભીને મદદ કરવા લાગી હતી. બન્નેએ ઘરનું કામકાજ સંભાળી લીધું હતું. ખરું જોતાં અમને કાંઈ ઓછું આવવા દેવાતું નહોતું. પણ બાના જવાથી મન વિષાદમય તથા બેચેન રહેતું
<header>
માનો વિયોગ: ૭
</header> <main>
હતું. મનમાં સતત બાનું જ ચિંતન–ધ્યાન. હવે અમે જીવી શકીશું નહીં એમ લાગતું. કશાનીયે ઊણપ નહોતી છતાંય આમ કાં લાગતું હતું તે સમજાતું નહોતું. જે લાગણી થતી તે શબ્દોમાં ઉતારતાં આવડે એમ નહોતું. તે કાળ- માં હું એકલો જ બેસીને શોક કરતો. ‘હવે બા નથી,’ એ વિચાર જ મને દુ:ખ દેતો હતો. તે સમયની સ્થિતિનો આજે વિચાર કરતાં લાગે છે કે બા હતી ત્યારે તેની પાસેથી—તેના આંતરિક વાત્સલ્યનું કાચબી પ્રમાણે પોષણ મળતું. તે દેખાવે સરસ નહોતું–કહેવા જેવુંયે નહોતું પણ કાંઈક મળતું હતું વિશિષ્ટ. તે બંધ થયું. તેથી મન અસ્વસ્થ રહેતું.
બા ગઈ ત્યારે મારી ઉંમર નવ-દસ વર્ષની હશે. પણ તેના ચાલ્યા જવાથી મારા મનમાં કેટલાય દિવસો સુધી આત્મહત્યાના વિચારો ઊઠતા હતા. રોજ નિશ્ચય કરતો કે રાત્રે સૌના સૂઈ ગયા પછી દરવાજાના ખૂણામાં જે કુહાડો મૂકી રાખ્યો છે તેનાથી ગળું કાપી નાખવું. રોજ રાત્રે તે ખૂણામાં કુહાડો છે કે નહીં તે હું બરાબર જોઈ લેતો. પણ ઊંઘ આવી કે વચ્ચે જાગતો જ નહીં. જ્યારે જાગી જતો ત્યારે થતું કે પાછળના દરવાજે જતાં પિતાજી કે મોટાભાઈ જોઈ જશે તો? આ અડચણના વિચારમાં ને વિચારમાં ઊંઘ આવી જતી ને જાગતો ત્યારે સવાર પડી ગયું હતું. આમ કેટલાક દિવસો – રાજપુર છોડી પૂણે જવાની તૈયારી સુધી – ચાલતું રહ્યું.
રાજાપુરનું એક સ્મરણ ન ભૂલવા જેવું છે. એક વાર મારા કાકા સાથે હું રાજાપુરના બજારમાં ગયો. રાજાપુરનું બજાર ઘણું મોટું! જુદા જુદા માલની ઘણી બધી દુકાનો. તેમાં એક મીઠાઈની દુકાન હતી જેમાં ભાતભાતની મીઠાઈઓ ખૂમચાઓમાં—થાળોમાં રાખી હતી. એ દુકાનને હું કુતૂહલથી જોઈ રહ્યો હતો. દુકાનમાં બેઠેલ માલિક હથેળીમાં અંગૂઠાથી કાંઈક મસળતો દેખાયો. તે શું મસળે છે તે જાણવાની ઇચ્છા થઈ. એટલામાં તો તેણે મોઢું ઉઘાડી ફાકી મારી. મેં કાકાને પૂછ્યું, ‘તે શું ખાય છે?’ તેમણે કહ્યું, ‘તમાકુ.’ મને આશ્ચર્ય થયું કે આ મીઠાઈ છોડીને તમાકુ શા માટે ખાય છે! મેં કાકાને પૂછ્યું પણ તેમણે આપેલ ઉત્તરથી મને સંતોષ થયો નહીં. મીઠાઈ છોડીને તમાકુ ખાવી એ કોયડો ઊકલ્યો નહીં.
</main>
જાણ
પુણમાં
બાના જવાથી પિતાજી ઉપર ચિંતાનો ઘણો મોટો ભાર આવી પડ્યો. તેના વિયોગનું દુ:ખ તો તેમને સહન કરવું પડતું જ પણ અમારું સૌનું શિક્ષણ, સંગોપન કેમ થશે, નવજાત શિશુને કોણ સંભાળશે આવી અનેક ચિંતાઓથી તેમનું મન દબાયેલું હોવું જોઈએ. તે કાળે તેમના ઉપર આવી પડેલ સંકટની કલ્પના મને આવી શકે એમ નહોતી. પણ જ્યારથી સમજણો થયો, વિચાર કરતો થયો તે સમયની વાતો યાદ આવતાં આજેય મારું મન ભરાઈ આવે છે. પિતાજીએ તથા શંકરદાદાએ વિચારપૂર્વક અમારા ભણતર સારુ અમને પૂણેમાં રાખવાનું નક્કી કર્યું હતું. અને અમને સૌને લઈને તે પુણે આવ્યા. રાજાપુરથી મુંબઈ અને મુંબઈથી પુણે અમે રેલરસ્તે પહોંચ્યાં. ત્યારે જ મેં પહેલવહેલી રેલગાડી જોઈ. અમારો બંદોબસ્ત કરી પિતાજી રાજાપુર પાછા ચાલ્યા ગયા. પછી જગ્યા મળતાં શનિવારવાડાથી મારુતિ ભણી જવાના રસ્તા ઉપર અમે ઘર માંડ્યું તે પુણે છોડતાં સુધી અમારું નિવાસ- સ્થાન રહ્યું.
પિતાજી રાજપુર ગયા પછી પુણેના ઘરની બધી જવાબદારી શંકરદાદાએ તથા ભાભીએ ઉપાડી લીધી હતી. શંકરદાદાની ઉંમર ત્યારે વીસ-એકવીસ વર્ષની તથા ભાભીની પંદર-સોળ વર્ષની હોવી જોઈએ. આટલી નાની ઉંમરમાં તેમના ઉપર અમારા સૌની જવાબદારી આવી પડી. શંકરદાદાના સ્વાર્થત્યાગની તથા વિકટ પરિસ્થિતિમાં પોતાની જવાબદારી સમજીને કામ કરવાની નિષ્ઠાની શરૂઆત થઈ હતી. પોતે શિક્ષણસંપન્ન હોઈને પોતાની વ્યક્તિગત ઉન્નતિનો લોભ તેમણે જતો કર્યો. પોતાનો નાનો ભાઈ કે જેના પેટમાં માતાના દૂધનું એકે ટીપું ગયું નહોતું, તેને કઈ રીતે જિવાડવો, તેનું પોષણ કેવી રીતે કરવું, આ બધા સવાલો પિતાજી તથા શંકરદાદાના મનમાં બાના ગયા પછી આવ્યા હશે. તે અરસામાં નમાયા બાળકના પોષણ તથા સંગોપનનાં આજના જેવાં સાધનો ઉપલબ્ધ નહોતાં. તેથી ભાભીને તેની જવાબદારી ઉપાડવી પડી અને તે તેમણે સ્વેચ્છાપૂર્વક સ્વીકારી માતૃપદ સંભાળ્યું. અઢી કે ત્રણ વર્ષની અમારી બહેન સોનાબાઈનીયે જવાબદારી તે જ ભાવનાથી તેમણે ઉપાડી લીધી અને અમારા સૌનો ખવડાવવા-પિવડાવવાનો ભાર પણ તેમણે જ ઉપાડી લીધો. અમારા સૌના
૮
<header> પુણિમાં: ૯ </header>
ખરચખૂટણની વ્યવસ્થા કરવા સારુ શંકરદાદાએ નોકરી કરવા માંડી. કારણ કે પિતાજી તરફથી મળતા રૂપિયાથી પુણેનો ખર્ચ પૂરો પડી શકે તેમ નહોતું. આવી સ્થિતિમાં બન્ને અમારે સારુ ભારે મહેનત કરતાં રહેતાં. આ વાત સાંભરતાં લાગે છે કે એ બન્નેનું અમારા ઉપર કેટલું ઋણ હતું
રાજપુરથી પુણે આવવાથી અમારી રહેણીકરણીમાંયે ફેર પડયો. અમે શહેરી બન્યાં. પિતાજી અમારી બધી વ્યવસ્થા કરીને રાજપુર જવા લાગ્યા ત્યારે અમને ભારે દુ:ખ થયું હતું. ત્યારની અને ત્યાર પછીના સમયની મારી મન:સ્થિતિ હું વીસર્યો નથી. નિશાળેથી ઘેર આવ્યા પછી જ્યારે જ્યારે હું એકલો પડતો ત્યારે ત્યારે મા સાંભરતી. હું બેચેન બનતો, ઉદાસ થતો અને થતું કે જીવવા જેવું શું છે. પુણે ગયા પછી આત્મહત્યાનો વિચાર તો આવ્યો નહોતો પણ મનની ખિન્નતા પહેલાંના જેવી જ રહેતી. સમય વીતતાં નિશાળનો અભ્યાસ તથા મિત્રોની સંગતને લીધે ઉદાસીનતા ઓછી થવા માંડી હતી અને અમારું જીવન નિત્યના વ્યવહારચીલામાં પડી ગયું.
પુણે ગયા પછી બહેન કેટલાક દિવસો પછી સાસરે ગઈ. ભાઈ તથા મારો એ પિતરાઈ ભાઈ એ બન્ને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં; બાબો, હું અને બાબો મલ્હાર) એમ અમે ત્રણે નૂતન મરાઠી વિદ્યાલયમાં, અને અમારી નાની બહેન સોનાબાઈ ઉંમરલાયક થઈ કે તે કન્યાશાળામાં દાખલ થયાં. નાના બાબાને ભાભી સંભાળતાં. નિશાળેથી આવ્યા પછી બાબો અને હું તેને રમાડતા અને સંભાળતા. આગળ જતાં બાબાનો અભ્યાસ વધવા લાગ્યો. તેને ત્રીજી અંગ્રેજીની શિષ્યવૃત્તિની પરીક્ષામાં બેસવું હતું એટલે એના ઉપર ભણતરનો ભાર વધ્યો તેથી મારે જ નાના બાબાને, સોનાબાઈને અને મલ્હારને સંભાળવાં પડતાં. તે ત્રણેને લઈને પાડોશના હરિહરેશ્વરના મંદિરમાં જતો રહેતો અને ત્યાંના મેદાનમાં અમે ગોઠિયાઓ સાથે રમતાં રહેતાં. નાનાંઓને સંભાળવાથી ભાભી ઉપરનો તેટલો ભાર ઓછો થતો. આ વ્યવસ્થા સૌને સારુ સગવડકર્તા થઈ પડી. નાનપણથી ભાંડુઓને સંભાળવાની મારી ટેવ પડવાથી નાનાં છોકરાંઓ માટેનું વાત્સલ્ય અને તેમના પ્રત્યેની મમતા તે સમયથી જાગ્રત થયાં હતાં. અને તે મારો સ્વભાવ જ બની ગયો હતો. આગળ જતાં બહેનને ત્યાં કે કોઈ સગાંઓને ત્યાં જતાં ત્યાંનાં છોકરાંઓને હું હેતે રાખતો ને રમાડતો એમાં મને આનંદ વરતાતો. આવો સ્વભાવ બની જતાં મિત્રોનાં બાળકો માટે મને તેટલી જ મમતા રહેતી.
અમારો તે નાનો ભાઈ! જન્મતાં જ મા તેને છોડી ગઈ. તે વાત સાંભરતાં આજેય હૃદય ભરાઈ જાય છે. જન્મથી જ માતાના વિયોગને કારણે તે બાળકને દુર્દૈવના ફેરામાં પડવું પડયું. તેના જન્મથી જ આ દુર્ઘટના થવાથી કોઈનેય આનંદ થયો નહોતો. માતૃવિયોગના ભાર નીચે અમારો આનંદ
૧૦: કેદારનાથ
દબાઈ ગયો હતો. તે બાળક ભાભી અને શંકરદાદાની વાત્સલ્યછાયામાં વિકસવા લાગ્યો. તેને દૂધની બાટલીની ટેવ પાડી હતી. આગળ જતાં તે ધીરે ધીરે અન્ન પણ ગ્રહણ કરવા લાગ્યો હતો. તેની ઉંમર તો વધી પણ શરીર વધ્યું નહીં. ચાર વર્ષનો તે થયો પણ તે ઊભો થતાં શીખ્યો નહીં. અમે સૌ તેના ઉપર મમતાનો વરસાદ વરસાવતાં, તેની પૂરેપૂરી કાળજી રાખતાં છતાં તેની સ્થિતિ અમને દયાજનક લાગતી. માના મરણને લીધે હોંશે હોંશે તેનું નામ પાડવું સુધ્ધાં અમને ગમ્યું નહોતું. અમે તેને ‘બાબુ’ કહેતા. ઘણા સમય સુધી તો તે મારી પાસે જ રહેતો. તેને ઊભા થતાં આવડતું નહીં. થોડાક શબ્દો જ તે બોલી શકતો.
અમે ૧૮૯૩માં પુણે ગયા. પાંચ વર્ષ ત્યાં રહ્યા. તે વેળા અમારું કુટુંબ ઘણું મોટું હતું. તેથી અમારે ઘેર કોઈ ને કોઈ આવતું રહેતું એથી અમને આનંદ થતો. અમ સૌ ભાંડુનો અભ્યાસ સારી રીતે ચાલતો હતો. ત્યારે ભાઉ મૅટ્રિક પાસ કરી ફર્ગ્યુસન કૉલેજમાં જવા લાગ્યો હતો. ઘરનાં લોકો જેને મંદ બુદ્ધિનો ગણતાં તે બાબાને શિષ્યવૃત્તિ મળી. તેને વિશેનો મારો મત પણ બદલાયો; બાબો હોશિયાર છે એમ મને લાગવા માંડ્યું. મારા અંગ્રેજી અભ્યાસનો આરંભ પણ અહીં જ થયો. અંગ્રેજીના નાનામોટા અક્ષરો વગર ભૂલે ઓળખવા લાગ્યો. અને મને અંગ્રેજી વાંચતાં આવડે છે એમ પણ લાગવા માંડ્યું. એક દહાડો શંકરદાદા કચેરીથી ઘેર આવ્યા, અને મેં તેમને એમ જ કહ્યું. મારી પ્રાયમરમાંથી ‘સી એ ટી’, ‘ડી ઓ જી’, ‘પી આઈ જી’ એમ વાંચી દેખાડવા લાગ્યો. દાદા હસ્યા અને કહેવા લાગ્યા, “અંગ્રેજી આમ ન વંચાય પણ ‘સી એ ટી’ કૅટ, ‘ડી ઓ જી’ ડૉગ, ‘પી આઈ જી’ પિગ એમ વાંચવું.” મને તે ઘણું અઘરું લાગ્યું. તે ઉપરથી તેમણે જોડણી એટલે શું અને ઉચ્ચાર કેવી રીતે કરવા તે સારી પેઠે સમજાવ્યું. મને તેમણે અંગ્રેજીનો પહેલો પાઠ શીખવ્યો જ નહીં પણ કેટલાક દિવસો સુધી તેઓ મને અંગ્રેજી શીખવતા રહેતા.
અહીંની નિશાળ રાજપુરની નિશાળ કરતાં વધારે સારી હતી. અભ્યાસની ઉત્તમ વ્યવસ્થા હતી. શિક્ષણ તો સારું હતું જ પણ શિક્ષકો વિદ્યાર્થીઓને ખેલકૂદમાંયે પ્રોત્સાહન દેતા હતા. તેથી અમે વિદ્યાર્થીઓ રમતા. મને ખેલ- કૂદનો શોખ હતો જ પણ અહીં આવ્યા પછી હું વધારે કુશળ થયો. ક્રિકેટ પણ રમવા લાગ્યો અને તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. પુણેમાં મને વ્યાયામનો શોખ જાગ્યો, વ્યાયામ કરવા લાગ્યો. પુણેમાં જે અખાડા હતા તે સૌ મરાઠા કે અન્ય જાતવાળાના. ફક્ત નગરકરનો એક અખાડો બ્રાહ્મણનો હતો.
પુણેમાં મારા શિક્ષકો હતા તેલંગ, ભોંડે, ફડણીસ વગેરે. તેઓ અમને સારી પેઠે અભ્યાસ કરાવતા એટલું જ નહીં પણ શારીરિક શક્તિ પણ વધારતા.
<header>
યુગેમાં: ૧૧ </header>
બુદ્ધિના તથા મનના વિકાસની સાથે સાથે નૈતિક વિકાસ થવો જોઈએ તે સારુ મહાભારતમાંની તથા પુરાણોમાંની કથાઓ પણ અઠવાડિયામાં એક કલાક સંભળાવતા.
મારી જનોઈ પુણેમાં થઈ. માતાપિતાને સ્થાને શંકરદાદા અને ભાભી બેઠાં હતાં. તે પ્રસંગના સ્મરણથી આજેય મનમાં પ્રેમનો ભાવ ઊછળી આવે છે. જનોઈ પહેર્યા પછી હું રોજ સવારના સૂર્યનમસ્કાર કરવા લાગ્યો. તેનું શિક્ષણ પણ શંકરદાદાએ જ મને દીધું હતું. મને અને ઘરનાં બધાંને વ્યાયામનો શોખ લાગ્યો હતો. શંકરદાદા પોતે મગદળની જોડી ફેરવતા. તેથી ભાઉને પણ વ્યાયામમાં રસ પડયો. ભાઉ અને બાબા ભણવામાં ઘણા કુશળ. પહેલેથી જ મારું વલણ રમતગમત તથા મસ્તીતોફાન તરફ વિશેષ રહેતું. ઉપરાંત નિશાળમાં મારા મિત્રો ઘણા હતા તેથી ભણતરમાં ધ્યાન ઓછું રહેતું. તોય સારા માર્કે પાસ થવા જેવો અભ્યાસ તો થતો રહેતો.
પુણેના વસવાટના તે દિવસો શંકરદાદાની છત્રછાયામાં ઘણા આનંદમાં ગયા. પિતાજી જ્યારે પુણે આવતા ત્યારે નાના બાબુને ખોળામાં રમાડતા. તે જ પ્રમાણે સોનાબાઈ અને મલ્હાર ઉપર પણ તેમનું અપાર વાત્સલ્ય સહેજે દેખાઈ આવતું. સોનાબાઈ અમારી સૌની લાડકી હતી. અને ખરેખર તે વહાલ કરવા જેવી હતી. શંકરદાદાનું તેના ઉપર ઘણું વહાલ હતું અને ભાભીએ તો તેને પોતાની પુત્રી પ્રમાણે ઉછેરી હતી. તેનામાં એકે અવગુણ કે દોષ નહોતો. શંકરદાદા અમારા ઉપર કદી ગુસ્સે થયા હોય એવું સાંભરતું નથી. અમ ભાંડુઓ ઉપર તેમનો અપાર પ્રેમ હતો. મલ્હાર એ નાનપણથી જ વાતોડિયો. સ્વભાવે સૌમ્ય અને શાંત. તેનું ધ્યાન શંકરદાદા વિશેષ રાખતા. મલ્હાર વિશે કોઈની ફરિયાદ આવતી નહીં. મારા મસ્તીખોર તથા રમતિયાળ સ્વભાવને કારણે મારે અંગે ક્યારેક ક્યારેક શંકરદાદા પાસે ફરિયાદો આવતી રહેતી, પણ તેઓ હમેશાં આંખ આડા કાન કરતા. ઘણું થતું તો તેઓ મને સમજાવતા. એક વાર કોઈ ફરિયાદ તેમને થઈ ત્યારે તેમણે મને કહ્યું, ‘તું પાકો ગુંડો છે.’ પણ તેઓ ગુસ્સે થયા નહોતા. ઘરમાં ભાઈ, બહેન અને નાનાની ઘનિષ્ઠ મૈત્રી. તેઓ એકબીજા સાથે ગપ્પાં મારતાં રહેતાં ને વાતો કરતાં રહેતાં. બહેન અને નાનાનો તો અતિ ઘણો સંબંધ, તેઓ બન્ને વાતો કરતાં જ રહેતાં.
આર
પુણેના સંસ્કાર
ગુહાગરથી રાજાપુર મોટું અને રાજાપુરથી પુણે અતિ ઘણું મોટું શહેર. સાથે સાથે મારી ઉંમરે વધતી જતી હતી. તેથી પુણે આવ્યા પછી ઘણું જ શીખવાનું મળ્યું. પુણે માત્ર મોટું શહેર જ નહોતું પણ તે ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આંદોલનોનું મહત્ત્વપૂર્ણ ધામ હતું. ન્યા. રાનડે, ના. ગોખલે, પ્રિ. આગરકર, લો. ટિળક, ડૉ. ભાંડારકર, મહર્ષિ કર્વે જેવા મહાન નેતાઓનો લાભ પુણેને સાંપડયો હતો. ત્યાંની નિરનિરાળી ચળવળોનો અને ત્યાંનાં કાર્યોનો મારા ચિત્ત પર સારો પ્રભાવ પડયો.
પુણેમાં છાપાંઓ વાંચવાનો રસ જાગ્યો. અમારે ત્યાં ‘સુધારક’ અને ‘કરમણૂક’ એ બે છાપાંઓ આવતાં હતાં. તે વાંચવાની અમ ભાઈઓમાં હોડ હતી. ‘સુધારક’માંના આગરકરના લેખો વાંચીને હું સામાજિક પ્રશ્નોનો વિચાર કરતો થયો. ‘કરમણૂક’માં હરિભાઉ આપ્ટેની વાર્તાઓ અને ચાલુ નવલકથાઓ આવતી હતી. નવલકથાઓ સામાજિક અને ઐતિહાસિક બન્ને પ્રકારની. ઐતિહાસિક નવલકથાઓમાં ‘ઉષ:કાલ’થી હું શિવાજી મહારાજને ઓળખતો થયો અને તેમના પ્રત્યે મારા મનમાં માન ને આદરભાવ જાગવાથી આપણે પણ પોતાના દેશ માટે કંઈક કરવું જોઈએ એ ભાવના પણ ઉત્પન્ન થઈ. હરિ- ભાઉની ‘ઉષ:કાલ’ અને બીજી નવલકથાઓથી અનેક યુવકોમાં રાષ્ટ્રીય વિચારો અને દેશસેવા કરવાની વૃત્તિ નિર્માણ થઈ, તેમ જ એમની સામાજિક નવલ- કથાઓ પરથી સ્ત્રીજાતિ માટે સહાનુભૂતિ પેદા થઈ. બાળવિવાહ, સ્ત્રીઓનું પારતંત્ર્ય અને વિધવાઓની દયાજનક સ્થિતિની કલ્પના આવવા લાગી. ટિળક અને એમના અનુયાયી હતા રાજનીતિવાળા. આ બન્ને પક્ષોમાં ઉગ્ર વાદવિવાદ ચાલતો રહેતો. સામાજિક સુધારાનું કેટલું મહત્ત્વ છે તેની મને તે સમયથી સમજણ પડવા લાગી.
હરિભાઉની ઐતિહાસિક નવલકથાઓ વાંચીને સિંહગઢ, શનિવારવાડા તેમ જ બુધવારમાંના શાહિસ્તખાન ઉપર શિવાજીએ હુમલાઓ કર્યા હતા તે સ્થળો મને પવિત્ર લાગવા માંડયાં.
૧૮૯૩માં અમે પુણે આવ્યા તે વખતે મહોરમનું સરઘસ ઘણું જ ઠાઠમાઠથી નીકળતું હતું. તેમાં હિંદુઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હતા. તે
૧૨
યુગિના સંસ્કાર: ૧૩
સમયે ભાઉ રંગારી નામના એક સાધારણ માણસે ગણેશોત્સવનો આરંભ કરાવ્યો. પણ લોકમાન્યે તે ઉત્સવને મહાન રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. તે ઉપરથી ૧૮૯૪માં તોફાન થયું. તેમાં નાતુબંધુ, દગડૂ હલવાઈ જેવા હિંદુ આગેવાનો પકડાયા અને તેમના ઉપર કેસ ચાલ્યા, તેમાં તેઓ નિર્દોષ છૂટ્યા તેથી હિંદુ સમાજમાં ભારે આનંદ તો વ્યાપ્યો જ, સાથે સાથે જાગૃતિ પણ આવી. આગળ જતાં પુણેમાં શિવજયંતી ઉત્સવ પણ શરૂ થયો. તે વખતના મેળામાંનું એક પદ હજીયે મને સાંભરે છે:
“શિવાજી રાજા અલબેલા, તોરણા કિલ્લા ત્યાને સર કેલા ।
યુદ્ધ પ્રસંગી ધૈર્ય ધરા, વૈરી કાપતો થરથરા ।”
[ શિવાજી રાજા અલબેલા તોરણ કિલ્લો સર કીધો.
યુદ્ધ પ્રસંગે ધૈર્ય ધરો વેરી ધ્રૂજતો થરથરતો.]
શિવાજી મહારાજ વિશે તે સમયથી મારા મનમાં ભક્તિ જાગી. તેમની અનેક છબીઓ હું ભેગી કરી સંઘરવા લાગ્યો. ત્યારથી રાષ્ટ્રીય વિચારનો મારા મનમાં ઉદય થયો. ગણપતિ અને શિવજયંતી-મેળા ફળિયે ફળિયે ઉજવાતા. મનોરંજન કાર્યક્રમોની સાથે સાથે રાષ્ટ્રીય વિચારનો પ્રચાર-પ્રસાર થતો રહેતો.
સામાજિક અને રાષ્ટ્રીય વિચારોની સાથે સાથે પંઢરપુર જનારી યાત્રી- ટોળીઓ જ્ઞાનેશ્વર મહારાજની પાલખી સાથે જતી તેથી મારા મનમાં ધાર્મિક સંસ્કાર જાગતા. દેહૂથી અને આળંદીથી દર વરસે જ્યેષ્ઠ વદી અગિયારસને શુમારે પાલખીઓ દિંડી સાથે પુણે આવતી. તે દિવસે પુણેમાં ભારે ભીડ થતી; યાત્રાનું સ્વરૂપ બનતું. નિશાળોમાં રજા પડતી.
‘નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન,
મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ,’
– ની ધૂન તાલ-મૃદંગ સાથે ગજાવતા વારકરી પોતાનો સામાન પીઠ ઉપર લાદીને ભગવી પતાકા ખભા ઉપર ધરીને જતા. આ વારકરીઓનો સંઘ જનતાના માનસમાં ધાર્મિક સંસ્કાર જગાડતો.
પંઢરપુરથી યાત્રીઓ પાછા આવતા ત્યારે તેઓ કૉલેરા સાથે લઈ આવતા અને તે દિવસોમાં આખા મહારાષ્ટ્રમાં કૉલેરા ફાટી નીકળતો. આજના જેવી દવાખાનાંઓની સગવડ ત્યારે ન હોવાથી તથા આરોગ્ય, સાફસફાઈ અંગેનું જ્ઞાન ન હોવાથી દર વરસે કૉલેરાથી ઘણી પ્રાણહાનિ થતી. અમે શનિવારપેઠમાં રહેતા હતા. ત્યાં આગળથી ૐકારેશ્વર સ્મશાને જવાનો રસ્તો હતો. લોકો મૃતદેહો લઈ જતાં ‘રામ બોલો ભાઈ રામ’ ઊંચા અવાજે બોલતા જતા. જોકે અમે તો બીજે માળ રહેતા હતા તોપણ તેમનું
૧૪: કેદારનાથ
તે રીતનું બોલવું અમને ભયપ્રદ લાગતું. કૉલેરાના દિવસોમાં અમને સૌને કપૂરની એક ડબ્બી આપવામાં આવતી તે અમે વારેઘડીએ સૂંઘતાં રહેતાં. શંકરદાદાને તથા ભાભીને અમારી ભારે ચિંતા રહેતી. તે કાળમાં કૉલેરા થાય તો તેમાંથી કોઈ બચે જ નહીં. અમારા ખાવાપીવામાં પથ્ય પળાતું. બહારનું ખાવાપીવાની અમને ટેવ નહોતી. શંકરદાદાનો અમ ભાઈઓ ઉપર ભારે પ્રેમ હતો. તેમની ઉંમર નાની હોવા છતાં અમને સંભાળવાની તેમનામાં શક્તિ હતી. તેમણે અને ભાભીએ અમને સારી રીતે સાચવ્યાં.
૧૮૯૪ની સાલમાં પુણેમાં અનંતચતુર્દશીને દિને રસ્તેવાડા પાસેના દારૂવાળા પુલ પર હિંદુ-મુસલમાનનું હુલ્લડ થયું. તે પહેલાં હિંદુ-મુસલમાનોનો સંબંધ બહુ જ મીઠો હતો. તેનું એક કારણ એ હતું કે પુણેમાં અખાડાઓ ઘણા અને લોકોમાં વ્યાયામ માટે અભિરુચિ હતી. કેટલાક અખાડાઓમાં ઉસ્તાદ મુસલમાન તો શિષ્યો હિંદુ, જ્યારે કેટલાક અખાડાઓમાં ઉસ્તાદ હિંદુ તો શિષ્યો મુસલમાન. તે કારણે તેમનામાં સખાભાવ હતો. પરંતુ હિંદુ-મુસલમાનોમાં જે વૈમનસ્ય આવ્યું તે અંગ્રેજ અધિકારીને લીધે હતું. પુણેના હુલ્લડમાં ત્યાંના કલેકટર મૅકફરસને મુસલમાનોનો પક્ષ લઈ તેમને ઉત્તેજન આપ્યું હતું.
અમારા પુણેના વસવાટ દરમ્યાન દાદાભાઈ નવરોજી પુણે આવ્યા હતા. ત્યાં તેમનું ભારે સન્માન થયું હતું એવું સાંભરે છે. તે જ રીતે ૧૮૯૫માં બંગાળના સિંહ સુરેન્દ્રનાથ બેનરજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધિ- વેશન ભરાયું હતું. તેમાં દેશના કોંગ્રેસના આગેવાનો, નેતાઓ તથા અન્ય કાર્યકર્તાઓને જોવાનો અને એમનાં ભાષણો સાંભળવાનો સુઅવસર મળ્યો હતો. કોંગ્રેસના સ્વયંસેવકોમાં મારા મોટાભાઈ ભાઉ હતા એટલે કોંગ્રેસની સભાઓમાં જવાની અને નેતાઓને જોવાની સારી સગવડ મળી હતી. રાષ્ટ્રીય સભા તે કેટલી મોટી, તેનો મંડપ તે કેટલો મોટો અને કેવો, કોણે કોણે ભાષણો કર્યાં, કયા કયા ઠરાવો પસાર થયા તે વિષયો અમારે ઘેર ચર્ચાતા રહેતા. સુરેન્દ્રનાથ બેનરજીનું ભાષણ મને વધારે ગમ્યું. પંડિત મદનમોહન માલવીય તે કાળમાં યુવાન હતા અને તેમનું વકતૃત્વ ભારે નામના પામ્યું હતું એમ હું જાણી ગયો હતો.
અમે પુણેમાં હતા તે અરસામાં જ દુષ્કાળ, પ્લેગનાં સંકટો પુણેને માથે આવ્યાં અને તેથી કેર વરતાયો. તે દિવસો ભારે કારમા હતા. તોય શંકરદાદાએ તથા ભાભીએ તેની અમને લગીરે જાણ થવા દીધી ન હતી. પ્લેગના દિવસોમાં અમને સૌને ફિનાઈલની ગોળીઓ પાસે રાખવા આપી હતી. તે અમે વારે ઘડીએ સૂંઘીએ. તે અરસામાં વિકટોરિયા રાણીની જયંતીને દિવસે ગણેશ ખિંડમાં રૅન્ડ અને આયર્સ્ટ નામના બે યુરોપિયન અધિકારીઓનાં ખૂન થયાં. પ્લેગના દિવસોમાં તેમણે લોકો ઉપર અપાર જુલમ કર્યો હતો. તેથી પુણેમાં ભારે રોષ પ્રગટ્યો હતો. ઘણીયે ધરપકડો થઈ તેથી શહેરમાં આતંકનું
<header> યુગિના સંસ્કાર: ૧૫ </header>
વાતાવરણ જામ્યું. તે જ પ્રસંગે લોકમાન્યને સજા થઈ. પ્લેગનો ઉપદ્રવ તો ચાલુ જ હતો. તે કાળે પ્લેગનો રામબાણ ઇલાજ હાથ લાગ્યો નહોતો તેથી મૃત્યુની સંખ્યા મોટી હતી. પ્લેગ શરૂ થવાથી કૉલેજો-નિશાળો બંધ થતાં અમે પાલી ચાલ્યાં ગયાં હતા.
પુણે એ રાજકીય જાગૃતિ તથા દેશભક્તિની પ્રેરણા દેનારું એક મહત્ત્વ- પૂર્ણ સ્થાન હતું. તે જ રીતે સમાજસુધારાના કાર્યમાં તે અગ્રેસર હોવા છતાં સમાજસુધારાના કામમાં સનાતનીઓનો ઘોર વિરોધ હતો. કોંગ્રેસ મંડપમાં ‘સામાજિક પરિષદ’ ન ભરાય તે કારણે મંડપને ફૂંકી મૂકવાની ધમકી પણ આપવામાં આવી હતી! સુધારકોને સનાતનીઓએ ભારે હેરાન કર્યા હતા. સમાજસુધારાની ઠેકડી ઉડાડી. પોતાના રાજકીય ક્ષેત્રમાં જનતાનો વધારે ટેકો મળે તે માટે લોકમાન્ય ટિળકે પોતાની ચળવળને સમાજસુધારાથી અલિપ્ત રાખી. પરંતુ સમાજસુધારામાં અગ્રગણ્ય ભાગ લેનારા આગરકર, કર્વે વગેરેને એમ લાગતું હતું કે સર્વાંગીણ સામાજિક સુધારા થયા વિના સ્વરાજ કેમ મળશે? અને મળશે તો ટકશે કેવી રીતે? સમાજનો અધિક ભાગ જો પછાત રહે તો આખી પ્રજાનું કલ્યાણ કેવી રીતે સધાશે? તેથી તેમણે ‘સુધારક’-પત્ર દ્વારા જૂની ઘાતક રૂઢિઓ વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો. તેનો વિરોધ પણ ઘણો થયો. તેમનો બહિષ્કાર કરવો, ગધેડાની પીઠ પર આગરકરનું નામ લખી સરઘસ કાઢવું, તેમની નનામીની સ્મશાનયાત્રા કાઢવી વગેરે પ્રકારો રહેતા.
પણ એકંદરે જોતાં પુણેની વાસ્તવિકતાએ મારા અંત:કરણમાં રાષ્ટ્રીય ઉત્થાનની તથા સમાજસુધારાના સંસ્કારોની પ્રેરણા રેડી એમ કહેવાય. શિવાજી મહારાજ ઉપરની મારી આસ્થા વધી. અમે વિદ્યાર્થીઓએ ભેગા થઈને એક શિવાજી મંડળ સ્થાપ્યું. મંડળમાં દર બુધવારે કોઈ ને કોઈ કાર્યક્રમ અમે યોજતા. નિશાળના અભ્યાસક્રમમાંથી મને મહારાષ્ટ્રના ઇતિહાસનો પરિચય થયો. એ ઉપરાંત હરિભાઉ આપ્ટેના ‘ઉષ:કાલ’ની મારા બાલમાનસ પર ઊંડી છાપ પડી. તે સમયથી જ હું મારી બાલમતિ અનુસાર રાષ્ટ્રનો અને રાષ્ટ્રીય સ્વતંત્રતાનો વિચાર કરતો થયો, એમ કહી શકાય. સ્વદેશભક્તિનાં બીજ મારા અંતરમાં પુણેમાં જ પડ્યાં, અને તે વિકસિત થતાં રહ્યાં, એમ હું મારા જીવનનો વિચાર કરું છું ત્યારે લાગે છે.
પાંચ
ખાનદેશમાં
પુણેનો પ્લેગ ઓછો થયો હોવાથી શંકરદાદા, ભાઉ, નાનો અને બાબો એ બધા પુણે ગયા. હું, બાળા અને સોનાબાઈ પાલીમાં જ રહ્યાં. પણ પાલીમાંયે જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બાપુજીએ અમને શિરપુર(ખાનદેશ)માં બોલાવી લીધાં. બાપુજીની બદલી શિરપુર થઈ હતી. અમે દૌંડ—મનમાડ માર્ગે ચાળીસ- ગામ સુધી રેલમાં અને તે પછી ધૂળિયાથી શિરપુરનો સિત્તેર માઈલનો પ્રવાસ બળદગાડામાં પૂરો કર્યો. આટલો લાંબો પ્રવાસ પહેલાં મેં ક્યારેય કર્યો નહોતો. ચાળીસગામથી ધૂળિયા અમે ટાંગામાં ગયાં હતાં. રસ્તામાં ગિરણા નદી આવી. તરાપા ઉપર ટાંગો મૂકીને નદી પાર કરી. એ જ રીતે શિરપુર પાસેની તાપી નદી ઓળંગવી પડી. રેલગાડી, ટાંગો, બળદગાડું, હોડી, આવાં સાધનોથી કરેલો પ્રવાસ આમ તો કંટાળાજનક હતો પણ મને તો એમાંયે મજા પડી. ધૂળિયામાં અમે પ્રધાન વકીલને ત્યાં ઊતર્યાં હતાં.
શિરપુર ગયા પછી ભાભીએ ઘરનું કામ સંભાળી લીધું હતું. શંકરદાદા કાયમ શિરપુર રહી શકતા નહોતા. તેઓ અવારનવાર ક્યારેક આવતા રહેતા. અમે શિરપુર આવ્યા પછી થોડાક દિવસોમાં અમારે પુણેનું ઘર બંધ કરવું પડયું. ભાઉ પુણેથી આવીને મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા. કૉલેજના છાત્રાવાસમાં જ તે રહેવા લાગ્યા. બાબા(ટી. એ. કુળકર્ણી) ધૂળિયામાં રહેવા લાગ્યા. અને હું બીજી અંગ્રેજીમાં શિરપુરમાં દાખલ થયો. શિરપુરની આ નિશાળ તે જ વખતે ઊઘડી હતી. ત્યાં બીજી અંગ્રેજી સુધી જ ભણવાની વ્યવસ્થા હતી. બાળાને મરાઠી નિશાળમાં અને સોનાબાઈને કન્યાશાળામાં બેસાડયાં. મારા વર્ગમાં અમે છ-સાત જ વિદ્યાર્થીઓ હતા. અને તેઓ ઘણાખરા તો અમલદારોના છોકરા હતા, એકાદ-બે બીજા. નિશાળનું વાતાવરણ ઘરના જેવું જ અમને લાગતું. અમારા આ નાનકડા વર્ગમાં હું કાંઈક નિરાળો પડતો હતો—ભણવામાં તથા રમતગમતોમાં. પુણેની વાસ્તવિકતાને લીધે તથા ત્યાંના શિક્ષણને કારણે મારી ભાષામાં એક પ્રકારનું સૌષ્ઠવ આવ્યું હતું. આ ઉપરાંત વર્ગના પાઠો મને જરાય અઘરા લાગતા નહોતા. સંસ્કૃતિની દૃષ્ટિએ ખાનદેશ પછાત ગણાતો પ્રદેશ હતો તેમાંયે શિરપુરની વસ્તી ગ્રામીણ—સુધરેલી નહીં. પુણેના નૂતન મરાઠી વિદ્યાલયના શિક્ષકો વિદ્વાન અને શહેરી સંસ્કારવાળા.
૧૬
<header>
ખાનદેશમાં: ૧૭ </header>
તેમની રહેણીકરણી સુસંસ્કૃત અને તેની છાપ સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ ઉપર પડતી જ. શિરપુરમાં મારા વર્ગમાં હું શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાતો.
રમતોમાં મને ક્રિકેટનું વધારે આકર્ષણ હતું. મને એની હથોટી એવી હતી કે મારાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારી સાથે રમવામાં માન – ગૌરવ અનુભવતા. આ ઉપરાંત જે જે રમતોમાં હરીફાઈ કે શારીરિક શક્તિની અને ચપળતાની અપેક્ષા રહેતી તેમાં હું સૌની મોખરે રહેતો. નાનપણથી જ મારા શરીરનો બાંધો સારો અને વ્યાયામથી તે વિશેષ સુદૃઢ થયેલો હોવાથી રમતોની સ્પર્ધાઓમાં મારી જીત નિશ્ચિત જ ગણાતી. ભણવામાં અને રમવામાં મારી શ્રેષ્ઠતાને કારણે બધા વિદ્યાર્થીઓ મારી સાથે હળીમળી ગયા હતા.
શિરપુર મ્યુનિસિપાલિટીની એક સ્કૂલ બોર્ડ કમિટી હતી. સરકારી ડૉકટર અને તે કમિટીના પ્રમુખ દર મહિને નિશાળની પ્રગતિનું નિરીક્ષણ કરવા આવતા. સ્વાભાવિક રીતે શિક્ષક તે સમયે મને જ પાઠ વાંચી સંભળાવવા કહેતા. આરોહ- અવરોહ સાથેનું મારું વાચન એ બન્ને શિષ્ટ જનો ઉપર સારી છાપ પાડતું અને એ રીતે નિશાળની પ્રતિષ્ઠા પણ જળવાતી.
તે સમયના એક-બે પ્રસંગો મારી યાદદાસ્તમાં રહી ગયા છે. અહીં તે નોંધવા આવશ્યક લાગે છે.
વર્ગમાં એક દિવસ એક શિક્ષકે એક વિદ્યાર્થીને ચાલુ પાઠોમાંથી એક પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર તે આપી શક્યો નહીં. શિક્ષકની આંગળી મારા તરફ વળતાં જ મેં તત્કાલ એનો ઉત્તર આપ્યો. મારા જવાબથી શિક્ષકને સંતોષ થયો. પણ જે વિદ્યાર્થી ઉત્તર આપી શક્યો નહોતો તેને તમાચો મારવાનું શિક્ષકે મને ફરમાવ્યું. મેં નમ્રપણે ‘ના’ કહી. મેં કહ્યું, “મારું તેને મારવું ઠીક નથી. સજા કરવાનું કામ શિક્ષકનું, વિદ્યાર્થીનું નહીં.” શિક્ષક તેથી અચંબો પામ્યા. તેઓ થોડીક વાર તો વિચારમાં પડયા પણ પછી ધમકાવીને કહેવા લાગ્યા, “જો તું એને થપ્પડ નહીં મારે તો મારે તને તમાચો મારવો પડશે.” આ ધમકીથી હું ગભરાયો નહીં. હું ચૂપ જ રહ્યો. સવાલનો ખરો જવાબ આપવાના ઇનામ રૂપે અને સહાધ્યાયીને તમાચો ન મારવાની સજારૂપે શિક્ષક- નો માર કદાચિત્ ખાવો પડે તો તે ખાવાની મારી તૈયારી હતી. સદ્ભાગ્યે શિક્ષકની ધમકી અમલમાં ન મુકાઈ. પુણેમાં ભણ્યો તેની આ અસર હશે! થોડાક દિવસો પછી જે વિદ્યાર્થીને થપ્પડ મારવાની મેં ના પાડી હતી તે જ વિદ્યાર્થીએ મારા માથા ઉપર ચોટલો જોઈને વિનોદ કરતાં કહ્યું, “તમે તમારા માથા ઉપર જે રીતનો ચોટલો રાખો છો તેવો જ ચોટલો તમારી બહેનોને માથે પણ રખાવો કે?” આ સાંભળતાં જ એકે શબ્દ બોલ્યા વિના આ ક્રૂર અસભ્ય મશ્કરીના જવાબરૂપે મેં ફટ દઈને તેના મોઢા ઉપર લાફો લગાવી દીધો. રડતો રડતો તે શિક્ષક કને ગયો અને “ગોપાલે(મને તે સમયે આ
<footer>
ક.-૨ </footer>
૧૮: કેદારનાથ
નામથી બોલાવતા) મને થપ્પડ મારી,” એવી રાવ ખાધી. શિક્ષકે મને બોલાવ્યો, વઢયા, તમાચો મારવાનું પ્રયોજન પૂછ્યું. મેં કહ્યું, “ફરિયાદ કરનારને જ પૂછો ને!” શિક્ષકે વિદ્યાર્થી ભણી જોયું. તે શો ઉત્તર આપવાનો હતો? તે અવાક રહ્યો. શિક્ષક સમજી ગયા હતા કે એણે કોઈ અપમાનભર્યું વર્તન કર્યું હશે ને તેથી થપ્પડ ખાવી પડી. કશું જ ન કહેતાં શિક્ષકે અમને બન્નેને જવા કહ્યું.
આ બન્ને બનાવો ઉપરથી શિક્ષકના મન ઉપર એવી છાપ પડી હશે કે આ એક વિલક્ષણ વિદ્યાર્થી છે. તેમનું મારા પ્રત્યેનું વર્તન પ્રેમપૂર્વકનું તથા મધુર હતું.
બીજીમાંથી હું ત્રીજીમાં ગયો, અને તે નિશાળમાં એક વર્ગ વધ્યો. દર ગુરુવારે અક્ષર સુધારવા માટે ઘેરથી કૉપીબુક લખીને બીજે દિવસે દેખાડવા લઈ જવી પડતી. એક ગુરુવારે લેસન લખાવવામાં કૉપીબુક લખી લાવવાનું કહેતાં શિક્ષક ભૂલી ગયા. પણ તેઓ ભૂલી ગયા તેથી શું થયું? કૉપીબુક તો લખવી જ જોઈએ—એ અમારી ફરજ હતી—એમ માનીને હું કૉપીબુક લખીને શુક્રવારે નિશાળે લઈ ગયો. શિક્ષકે કૉપીબુકો માગી પણ કોઈએ આપી નહીં; કારણ કે આગલે દહાડે લેસન લખાવતી વેળા કૉપીબુક લખી લાવવાનું કહેવામાં આવ્યું નહોતું તેથી વિદ્યાર્થીઓ લખી લાવ્યા નહોતા. હું માત્ર મારી કૉપીબુક લઈ ગયો હતો. પણ હું જો તે બતાવત તો બીજાને સજા ભોગવવી પડત તેથી હું ચૂપ જ રહ્યો. દરેકને એક એક સોટી ખાવી પડી. મારેય ખાવી પડી અને મેં સહન કરી. થોડીક વારમાં સાચી વાત બહાર આવી. મારા આ વિચિત્ર વર્તન અંગે શિક્ષકે મને પૂછ્યું, “તું કૉપી- બુક લખી લાવ્યો હતો તો મને કહ્યું કેમ નહીં? વગર ફોકટ માર શા સારુ ખાધો?” મેં કહ્યું, “મેં જો તેમ કર્યું ન હોત તો મારી કૉપીબુક સૌને બતાવીને તમે સૌને ભારે સજા કરત. થોડુંક પોતે સહન કર્યાથી બીજાને ફાયદો થતો હોવાથી મેં કહ્યું નહીં.” મારા આ ઉત્તરથી અને વર્તનથી શિક્ષક આશ્ચર્યચકિત થયા. તે સમયે મારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે.
આટલી નાની ઉંમરમાં મારું વર્તન વિલક્ષણ કેમ હતું તેનો ઉત્તર મારી પાસે નથી. કદાચિત્ કૌટુંબિક સંસ્કાર, પુણેના શિક્ષણ-સંસ્કાર અને અંતર- પ્રેરણાને લીધે આમ બનવા પામ્યું હશે.
પરીક્ષા પૂરી થયા પછી ઇનામ વહેંચણી થતી. ઇનામ તો મને મળતાં જ. પણ આ સમારંભો એવી રીતે પાર પડતા કે અતિથિઓ ખુશ ખુશ થઈ જતા. આવા સમારંભોમાં તથા ઉત્સવોનાં કામોમાં મારે આગેવાનીભર્યો ભાગ ભજવવો પડતો અને મારે કહેવું જોઈએ કે આવાં કામોમાં મારા સાથીઓનો મને પૂરો સાથ મળતો રહેતો હતો. અમે નાટકો ભજવતા, તેમાં સ્ત્રીપાત્ર ન આવે તે જ અંશ લેતા. ‘રાણા ભીમદેવ’માંના પ્રસંગોમાં હું મુખ્ય ભાગ ભજવતો, મારો અભિનય ગામના લોકોને, વિશેષે કરીને વ્યાપારી વર્ગને બહુ ગમતો.
<header> ખાનદેશમાં: ૧૯ </header>
શિરપુરની નિશાળના કાર્યક્રમમાં મારા મોટાભાઈની મને ઘણી મદદ મળતી. આ શાળાની સ્થાપનામાં મારા બાપુજીનો હાથ હતો; તેથી ત્યાંના ‘તાત્યા માસ્તર’ નામના શિક્ષક મારા બાપુજી પ્રત્યે આદરભાવ રાખતા. તે જ પ્રમાણે શંકરદાદા માટે પ્રેમ રાખતા. શંકરદાદા થોડાક દિવસો શિરપુરમાં રહેતા. તેઓ જેટલો સમય રહેતા તેટલો સમય અમને ઘણો જ આનંદ આવતો.
અમે શિરપુરમાં હતા ત્યારે એક ભીષણ દુષ્કાળ પડયો. તે વિક્રમ સંવત ૧૯૫૯નું વર્ષ હતું. અનાજની અછતને કારણે લોકો બેહાલ થયા હતા. ભીલોની સ્થિતિ તો ઘણી જ દયાજનક હતી. ખાવાનો દાણોયે એમની પાસે રહ્યો નહોતો. એટલે તેઓ ધાડ પાડતા. ધોળે દહાડે લૂંટફાટ થતી. તે સમયે સરકારે દુષ્કાળ-રાહત કામો શરૂ કર્યાં હતાં. ભીલોને વેચાતું તથા મફત અનાજ આપવાનું કામ શિરપુરમાં ચાલુ કર્યું હતું. તેના વડા અધિકારી તરીકે મારા બાપુજીની નિમણૂક થઈ હતી. જેમને કેટલાય દિવસોથી અનાજ મળ્યું નહોતું એવાં ટોળેટોળાં અમારા ઘરઆંગણે આવતાં. રાત્રે ઘરની બહાર ઘણાં લોકો સૂઈ રહેતાં, ઘર ઊઘડતાં તેમની દશા દેખી જતી નહોતી. કેટલીયે વાર આ લોકો પોતાનાં બાળબચ્ચાંઓને ભગવાન ભરોસે છોડી જતાં કારણ કે પોતા પાસે ભૂખ્યાં મારવા કરતાં આમ છોડી જવામાં લોકોને દયા આવશે, તેઓ સંભાળશે એ ઉદ્દેશ હતો. આજના જેવાં રાહતકાર્યોની તે વેળા વ્યવસ્થા નહોતી. પણ શેઠ, શાહુકારો, શ્રીમંતો આવાં કામોમાં મદદ કરતા, છોકરાંઓને સંભાળતાં. મારા બાપુજીએ પણ ઘણી મદદ કરી તેથી તેઓ અત્યંત લોકપ્રિય થયા.
અંગ્રેજી ત્રીજી પછી ભણવાની શિરપુરમાં વ્યવસ્થા નહોતી. મારાથી મોટા મારા મોટાભાઈ બાબા(ત્રિંબક) તે સમયે ધૂળિયામાં ભણતા હતા. તેથી બાપુજીએ વધુ અભ્યાસ માટે મને ધૂળિયા મોકલ્યો.
</body> </html>