ગુજરાતી ગઝલસંપદા/ કરસનદાસ લુહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કરસનદાસ લુહાર

ભરું કેમ ખોબો અરીસાળ જળમાં?
કે, નભની તરસનું તરે આળ જળમાં.

લઈ હુંપણું હું જ ડૂબી ગયો પણ,
તરંગો ન ઊઠ્યા આ પથરાળ – જળમાં.

મને ઝાંઝવાંમાં જડ્યાં ઝાંઝવાંઓ,
પરંતુ ન જળની મળી ભાળ જળમાં.

હકીકતની હોડીઓ ઊંધી વળી ગઈ,
આ અફવાના ઊંડા નરાતાળ જળમાં.

ચલો મત્સ્ય મારાં! હવે જળવટો લો,
જુઓ જળ સ્વયં પાથરે જાળ જળમાં.