ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અદાત કે અદાવત?
Jump to navigation
Jump to search
અદાત કે અદાવત?
ઉમાશંકર જોશી
અદાત કે અદાવત? (ઉમાશંકર જોશી; ‘વિસામો’, ૧૯૫૯) પરભુકાકાને કેન્સર છે. એમણે મોટા કરેલા બેય ભત્રીજા મોટો ગોકળ અને નાનો ચીમન એમની ખરી સેવા કરે છે. દવાખાને નવરા બેસી રહેવાને બદલે ગોકળ આદાવત કે અદાલત એવા વિકલ્પવાળી શબ્દહરીફાઈની પૂર્તિ કરે છે પણ ભરે છે પરભુકાકાને નામે. ઇનામ લાગે એ પહેલાં પરભુકાકા અવસાન પામે છે. ઇનામના પૈસા વહેંચવાની બાતે વ અને લ કોણે સૂચવ્યા હતા - એ વાતે ટપાટપી થતાં વારસો મેળવવા અદાવતના માર્યા બંને ભાઈ અદાલતને આશરે જાય છે અને ઇનામની રકમ ખરચાઈ જાય છે. આવા કથાનકવાળી વાર્તામાં કાકા-ભત્રીજાનો પ્રેમભાવ અને દેરાણી-જેઠાણીની પરાયાપણાથી ભરેલી હુંસાતુંસીનું મર્મસ્પર્શી નિરૂપણ થયું છે.
ઇ.