ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચન્દ્રદાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચન્દ્રદાહ

રજનીકુમાર પંડ્યા

ચન્દ્રદાહ (રજનીકુમાર પંડ્યા; ‘ખલેલ’, ૧૯૭૫) પૂરબહાર ખીલેલી ચાંદનીમાં સંતાનોને લઈને નીકળેલો નાયક ગવાતા ગરબા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એને મૃત પત્નીની સ્મૃતિના અણસાર થતા રહે છે. અંતે ચાંદની અંદર ઊતરી ચિતાની જ્વાળાની માફક વીંટળાઈ વળે છે. સ્મરણનો પ્રભાવ વાર્તાનિરૂપણનો મુખ્ય ભાગ રોકે છે.
ચં.