ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ધ/ધવલગિરિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ધવલગિરિ

રજનીકાન્ત રાવળ

ધવલગિરિ (રજનીકાન્ત રાવળ; ‘ધવલગિરિ’, ૧૯૭૮) શેખરના મનમાં, પોતાની બહેનને છોડી પોતાની પ્રેયસીને પરણી જઈ બેઉ રીતે વિશ્વાસઘાત કરનારા નીલાંગ તરફ તીવ્ર આક્રોશ હતો. સંજોગવશાત્ પર્વતારોહણની એક જ ટુકડીમાં સાથે હોવા છતાં અંતે શેખર નીલાંગને અકસ્માતમાંથી ઉગારી લે છે. આખું કથાનક પર્વતારોહણના વિશિષ્ટ પરિવેશમાં મુકાયેલું છે. ચં.
ચં.