ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમીવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમીવિજય [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘નેમરાજુલ-બારમાસ’ (ર. ઈ.૧૮૩૩; મુ.), ઈ.૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેસરિયાજીના યાત્રાસંઘનું વર્ણન કરતું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન’ (મુ.), ‘નેમ-રાસો’ (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું’ (મુ.) એ કૃતિઓના કર્તા. કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિજયને નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. પ્રામબાસંગ્રહ; ૩. બૃકાદોહન : ૨;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શેઠ હઠીસિંગ સંઘવર્ણન-સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]