ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતસાગર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃતસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં રચાયેલ ‘જયસેનકુમાર-રાસ/રાત્રિભોજનપરિહાર-રાસ’ (ર. ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન’ તથા ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [વ.દ.]