ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવલ્લભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયવલ્લભ(સૂરિ) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. તેમના પ્રતિષ્ઠાલેખ ઈ.૧૪૫૮થી ઈ.૧૪૬૫ સુધીના મળે છે એટલે ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું ગણી શકાય. એમને નામે ૪૮૬૦ ગ્રંથાગ્રનો ‘ક્ષેત્રમાસ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૧૩) નોંધાયેલ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [હ.યા.]