ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે.
કૃતિ : નકાસંગ્રહ.
સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર.
[કૌ.બ્ર.]