ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્ષમાકીર્તિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં હર્ષવર્ધનના શિષ્ય. ધર્મમૂર્તિના આચાર્યકાળ(ઈ.૧૫૪૬ - ઈ.૧૬૧૪/૧૬૧૫)માં રચાયેલી ૨૧ કડીની ‘સીમંધરસ્વામી-વિનંતી’ (લે. સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી. [શ્ર.ત્રિ.]