ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૫-કલ્યાણદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણ-૫/કલ્યાણદાસ [ઈ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ થયેલી છે. કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(+સં.); ૩. પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા:૧; ૫. બૃકાદોહન:૭; ૬. ભજનસાગર:૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ગૂહાયાદી.[ચ.શે.]