ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિંકરદાસ-કિંકરીદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કિંકરદાસ/કિંકરીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. કવિ ઈ.૧૫૫૪માં થયા હોવાનો ઉલ્લેખ મળે છે તે તેમની જન્મસાલ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. પહેલાં ગુસાંઈજી વિઠ્ઠલનાથ (અવ. ઈ.૧૬૮૬)ના અને પછી ગોકુલનાથના ભક્ત બન્યા. આ કવિએ રચેલાં કીર્તનોમાંથી ૨૫ કડીનું વલ્લભાચાર્યના જન્મનાં વધામણાં ગાતું પદ, હિંડોળાનાં ૨ પદ, ગોકુલવાસનાં મહિમાને વર્ણવતાં ૫ ધોળ તથા ૧ હિન્દી પદ મુદ્રિત મળે છે તેમાં કવિની ભાવાત્મક વર્ણનની શક્તિ દેખાય છે. કવિની પદરચના પર અષ્ટસખાની અસર હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : ૧. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળ, સં. ૨૦૨૨ (બીજી આ.);  ૩. અનુગ્રહ, જાન્યુ. ૧૯૬૦ - ‘કિંકરીદાસ વૈષ્ણવ’, ચિમનલાલ મ. વૈદ્ય. [શ્ર.ત્રિ.]