ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશલહર્ષ-૧ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં હર્ષસંયમના શિષ્ય. વિજયદાનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)માં રચાયેલી જણાતી ૬૮ કડીની ‘(શત્રુંજયમંડન) ઋષભજિન-સ્તવન’, ૬૬ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ૬૮ કડીની ‘(ફલવર્ધિમંડન) પાર્શ્વનાથ-સ્તવન’, મહાવીર-સ્તવન’ તથા ૩૯ કડીની ‘ષટ્ભાવગર્ભિત-નાગપુરમંડન-શાંતિજિન-સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]