< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ક.શે.]