ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેસરવિજય-૩ [ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ ૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા’ (૨.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, આસો સુદ ૨; મુ.)ના કર્તા. કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીસ તીર્થકરના અઠાણું બોલ, પ્ર. શિહોરસંઘ, સં. ૧૯૭૨. [ક.શે.]