ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનપુરી


ક્હાનપુરી [ ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. ૧ પદમાં હિંદીમિશ્ર ભાષા પણ જોવા મળે છે. કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી.

સંદર્ભ : ગૂહાયાદી.
[ર.સો.]