ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગારામ-૧ ગંગાસાહેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગંગારામ-૧/ગંગાસાહેબ [અવ.ઈ.૧૮૨૭] : રવિભાણ-સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના આ પુત્રે રવિસાહેબ સાથે તીર્થયાત્રાઓ પણ કરી હતી. પછીથી એ પિતા સાથે રહ્યા હતા અને રાપર (કચ્છ)માં જીવત્સમાધિ લીધેલી. આ કવિનાં આરતી, થાળ વગેરે પ્રકારો બતાવતાં પદો (મુ.)માં સંપ્રદાયની જ્ઞાન-ભક્તિ-યોગની સાધનાનું અનુસરણ છે પણ એમાં ભક્તિની આરતનું સંવેદન વિશેષ ધ્યાન ખેંચે છે. એમનાં પદો હિન્દી ભાષાની અસર બતાવે છે તેમ કેટલાંક હિન્દીમાં પણ છે. કૃતિ : ૧. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)(+સં.); ૨. રવિભાણસંપ્રદાયની વાણી:૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. સંદર્ભ : ૧. આગુસંતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]