ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદ-ગુણચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણચંદ/ગુણચંદ્ર : આ નામથી ૯ કડીનું ‘ગતચોવીસી-સ્તવન’ (મુ.), ૭ કડીનું ‘વીસવિહરમાનજિન-સ્તવન’ (મુ.), ૯ કડીનું ‘અનાગતચતુર્વિંશતિ-સ્તવન’ (મુ.) અને અન્ય સ્તવન-સઝાય આદિ કૃતિઓ મળે છે તેના કર્તા કયા ગુણચંદ/ગુણચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-સઝાય’ (ર.ઈ.૧૭૩૮ ગુણચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. હરિભદ્રસૂરિકૃત મૂળ પ્રાકૃત ‘મુનિપતિચરિત્ર’ ઉપરના ગુણચંદ્રને નામે નોંધાયેલા સ્તબક (ર.ઈ.૧૭૯૨)ના કર્તા પણ ગુણચંદ્ર-૨ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ષટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]