ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણરત્ન-૪ [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંયતિસંજય-સંધિ’ (ર.ઈ.૧૫૭૪/સં. ૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ-અર્થા’ (*મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પંરતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી. કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, - સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]