ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસૌભાગ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણસૌભાગ્ય-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. વિજયદાનસૂરિના શિષ્ય. ૫ કડીની ‘(થંભણ)પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]