ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણાકર સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણાકર(સૂરિ)-૨ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિ’ના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યગ્ આચાર પ્રબોધતા, ૫૦ કડીના અપભ્રંશમિશ્ર ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ’ (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક-વિધિરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[ચ.શે.]