ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમેરુ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનમેરુ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં મહિમસુંદરના શિષ્ય. એમના ૩ ખંડ, ૧૬ ઢાળ અને ૧૮૬/૨૦૨ કડીના ‘ગુણકરંડગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, પ્રથમ આસો સુદ ૧૩)માં ‘રિદ્ધિ તો નારીના કર્મે હોય’ તેવી ગુણાવલીની દલીલથી બધું લઈને ચાલી ગયેલા ગુણકરંડનો પડકાર ઝીલી પોતાના બુદ્ધિચાતુર્યથી બધી સમૃદ્ધિ પુન: પ્રાપ્ત કરનાર ગુણાવલીની અદ્ભુતરસિક કથા આલેખાઈ છે અને પુણ્યનો પ્રભાવ વર્ણવાયો છે. ૩૭ કડીની ‘વિજયશેઠ વિજયાસંબંધ/પ્રબંધ’ (ર.ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, ફાગણ સુદ ૧૦) એ આ કવિની અન્ય કૃતિ છે. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]