ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જલ્હ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જલ્હ-૧ [ઈ.૧૬ની સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ કે શ્રાવક. જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુકીર્તિએ ઈ.૧૬૨૫માં આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[શ્ર.ત્રિ.]