ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જસાનંદ [ઈ ૧૬૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુણાનંદના શિષ્ય. ‘યશોનંદ’ એ નામથી નોંધાયેલા આ કવિના ૬૨૧ કડીના ‘રાજસિંહકુમાર રાસ (નવકારરાસ). (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, આસો સુદ ૨, મંગળ/શુક્રવાર)માં કર્તાનામ જસાનંદ જ નોંધાયેલું છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[શ્ર.ત્રિ.]