ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકીર્તિ સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનકીર્તિ(સૂરિ)-૧ [જ.ઈ.૧૭૧૬/સં૧૭૭૨, વૈશાખ સુદ ૭ - અવ. ઈ.૧૭૬૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં જિનવિજયના શિષ્ય. ખીવસરાગોત્ર. જન્મ મારવાડમાં ફલોધીમાં. મૂળ નામ કિસનચંદ્ર. પિતા ઉગ્રસેન શાહ. માતા ઉચ્છરંગદેવી. ભટ્ટારકપદ ઈ.૧૭૪૧માં. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, ફાગણ-૧૧; અંશત: મુ.) અને ૪ ઢાળનું ‘લોદ્રવાપાર્શ્વનાથ-વૃદ્ધ-સ્તવન’ મળે છે. કૃતિ : જૈગૂસારત્નો : ૨(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨).[શ્ર.ત્રિ.]