ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકુશલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનકુશલ-૧ [ઈ.૧૬૨૨માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તચોપાઈ’ (ર.ઈ.૧૬૨૨)ના કર્તા. ઉપર્યુક્ત જિનકુશલ તે તપગચ્છના હાનર્ષિગણિની પરંપરામાં થયેલા દામર્ષિગણિશિષ્ય જિનકુશલગણિ હોય તો તેમની રણથંભોરના મહામાત્ય ખીમસિંહ અગ્રવાલ વિશેની ૮ સર્ગની ‘પુણ્યપ્રકાશકાવ્ય’ (ર.ઈ.૧૫૯૪) તથા ૨૦ કડીની ‘પાર્શ્વનાથતીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬) એ કૃતિઓ પણ નોંધાયેલી મળે છે. આ જિનકુશલગણિ ઈ.૧૬૬૪ સુધી હયાત હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]