ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનચંદ્ર-૬ [ઈ.૧૭૮૫માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. એમની કૃતિઓમાં ગૂંથાતા ‘લાભઉદય’ એ શબ્દમાં ગુરુનામનો સંકેત હોવાનું સમજાય છે. જેસલગિરિની યાત્રા વખતે રચાયેલું ૯ કડીનું ‘પાર્શ્વનાથજીનું લઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, માગશર સુદ ૧૧), ૧૦ કડીનું ‘પંચતીર્થીનું સ્તવન’, ૭ કડીનું ‘આદીશ્વરજિન-સ્તવન’ તથા ૫ અને ૯ કડીનાં ૨ પદ-એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. અરત્નસાર; ૨. જૈકાપ્રકાશ : ૧.[ચ.શે.]