ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-શિષ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનચંદ્ર(સૂરિ)શિષ્ય-૧[ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન. ખરતરગચછના જિનપ્રબોધસૂરિશિષ્ય જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫થી ઈ.૧૩૨૦)ના શિષ્ય. વસંતવર્ણનની ભૂમિકા સાથે જિનચંદ્રસૂરિએ કરેલા કામવિજયનું વર્ણન કરતા ‘જિનચંદસૂરિ-ફાગુ’ (મુ.) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૬ કડીની ‘યુગવરગુરુ-સ્તુતિ’ અને ૭ કડીની ‘આદિનાથ-બોલી’ એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાફાસંગ્રહ(+સં.). સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]