ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનચંદ્ર(સૂરિ)-૨ [જ.ઈ.૧૬૩૭ - અવ. ઈ.૧૭૦૭] : ખરતરગચ્છના જૈન સાધુ. જિરાજસૂરિની પરંપરામાં જિરત્નસૂરિના શિષ્ય. બીકાનેરવાસી ગણધર-ચોપડા ગોત્રના શાહ આસકરણના પુત્ર. માતા રાજલદે/સુપિયારદેવી. મૂળનામ હેમરાજ. ૧૨મા વર્ષે જિનરત્નસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હર્ષલાભ. ઈ.૧૬૫૫માં પદપ્રાપ્તિ. સુરતમાં અવસાન. ૫ ઢાળ અને ૨૩ કડીનું ‘જિનવર-સ્તવન/છન્નુ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૬; મુ.) ‘(લોદ્રપુરમંડન) પાર્શ્વસ્તવન’ (ર.ઈ.૧૬૮૭/સં. ૧૭૪૩, ચૈત્ર વદ ૬, બુધવાર), અને જિનરત્નસૂરિનું ચરિત્રગાન કરતું ૧૧ કડીનું ગીત (મુ.) તથા અન્ય સ્તવનો તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[ચ.શે.]